Health :શું તમને પણ રાત્રે સૂતા પહેલા લોટ બાંધીને  ફ્રીજમાં રાખવાની આદત છે? જો હા, તો  સમજી લો કે આ આદતને તરત જ બદલવી જરૂરી છે. અન્યથા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.


 ઘણીવાર તમે એવા અનેક લોકોને જોયા હશે  જે સમયના અભાવે રાત્રે સૂતા પહેલા જ લોટને બાંધીને ફ્રિજમાં  રાખીને સૂઈ જાય છે. આવું કરવું માત્ર સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી, પરંતુ હિન્દુ ધર્મમાં પણ તેને  ખોટું  માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, જો રાત્રે સૂતા પહેલા બાકીનો લોટ ફ્રીજમાં રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકે છે. બીજી તરફ સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો ફ્રિજમાં રાખેલા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આજનો લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે શા માટે તમારે રાત્રે સૂતા પહેલા  બાંધેલો  લોટ ફ્રિજમાં  ન રાખવો જોઈએ.


સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર


રાત્રે બચેલા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી વ્યક્તિને પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. કારણ કે ફ્રિજમાં કેમિકલ રિએક્શન થવા લાગે છે જેના કારણે વ્યક્તિના આંતરડાનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. લોટમાં માયકોટોક્સિનનું પ્રમાણ વધવાથી એસિડિટી, અપચો અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે.


તમને જણાવી દઈએ કે જો રાત્રે બચેલા લોટમાંથી બનેલી રોટલી બીજા દિવસે ખાવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઈ શકે છે. કારણ કે લોટમાં બેક્ટેરિયા વધવા લાગે છે જેના કારણે આ સમસ્યા થઈ શકે છે.


વાસી લોટની રોટલી  ખાવાથી પોષક તત્વોની ઉણપ પણ થાય છે, જેના કારણે વ્યક્તિને થાક, નબળાઈ વગેરેનો અનુભવ પણ થઇ  શકે છે.


હિંદુ માન્યતાઓ અનુસાર


હિંદુ ધર્મ અનુસાર, ગૂંથેલા લોટને ફ્રીજમાં ન રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં  નકારાત્મક ઉર્જનો સંચાર થાય છે. આવી સ્થિતિમાં, કહેવાય છે કે, જો ગૂંથેલા કણક બાકી હોય તો પણ તેને ફ્રીજમાં રાખતા પહેલા ત્રણ ફિંગરપ્રિન્ટ્સ બનાવી લો. આમ કરવાથી તેની અશુભ અસરથી બચી શકાય છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો