Boost Your Immunity: શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે તમારે આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લેવાથી શરીર મજબૂત બને છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવી રહ્યા છીએ જે વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ કંટોલાની જે કારેલા જેવા દેખાય છે. ગુજરાતમાં આ શાકભાજીની ચોમાસાની ઋતુમાં ભરપુર માત્રામાં દરેક દુકાનો પર તમને સરળતાથી મળી જશે. કેટલાક લોકો તેને વાન કારેલા અથવા કંટોલા પણ કહે છે. આ શાક શરીરને મજબૂત બનાવે છે. કંટોલામાં વિટામિન બી12, વિટામિન ડી, કેલ્શિયમ, ઝિંક, કોપર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તમારે તેને તમારા આહારમાં ચોક્કસપણે લેવું જોઈએ.


કંટોલામાં  આ પોષક તત્વો હોય છેઃ


કંટોલામાં એક-બે નહીં પરંતુ તમામ પોષક તત્વો મળી આવે છે. જેમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન B1, B2, B3, B5, B6, B9, B12, વિટામિન A, વિટામિન C, વિટામિન D2 અને 3, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન H, વિટામિન K, કોપર, ઝિંક હોય છે. એટલે કે આ કોઈ સામાન્ય શાક નથી. આ શાકભાજીમાં શરીરને મજબૂત બનાવતા તમામ વિટામિન હોય છે. કંકોડાની તાસીર ગરમ હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ખાવાથી શરીરને જરુરી હોય તેવી તમામ શક્તિ મળે છે.


કંટોલાના ફાયદાઃ
1- કંટોલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેનાથી શરદી, ઉધરસ અને શરદીની સમસ્યા પણ દૂર થાય છે.
2- કંટોલા ખાવાથી માથાનો દુખાવો, વાળ ખરવા, કાનમાં દુખાવો, ઉધરસ, પેટમાં ઈન્ફેક્શન થતું નથી.
3- કંટોલા ખાવાથી પાઈલ્સ અને કમળો જેવી બીમારીઓ પણ દૂર થાય છે.
4- કંટોલા ખાવાથી ડાયાબિટીસમાં પણ ઘણો ફાયદો થાય છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
5- વરસાદમાં થતી દાદ- ખસ, ખંજવાળ સામે પણ કંટોલા ખાવાથી ફાયદો થાય છે.
6- લકવો, સોજો, બેભાન અને આંખોની સમસ્યામાં પણ કંટોલા ખાવાથી ફાયદો થાય છે.
7- તાવ આવે ત્યારે પણ તમે કંટોલા ખાઈ શકો છો.
8- તે બ્લડ પ્રેશર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે.


Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલાં ડૉક્ટરની સલાહ લો.