Improve eyesight  :  કેટલાક લોકોની દૃષ્ટિ નાની ઉંમરમાં જ નબળી થવા લાગે છે. તેમની આંખોની રોશની એટલી ઓછી થઈ જાય છે કે તે ઝાંખુ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં નંબરવાળા ચશ્માનો સહારો લેવો પડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા વિટામિનની ઉણપથી આંખોની રોશની નબળી પડે છે ? તમને જણાવી દઈએ કે, આપણું શરીર ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સથી બનેલું છે. આવી સ્થિતિમાં કેટલાક વિટામિન્સની ઉણપથી આપણી આંખો પર ખરાબ અસર પડે છે. તો ચાલો જાણીએ કે કયા વિટામિનની ઉણપને કારણે આંખોની રોશની નબળી પડી જાય છે અને તેને સુધારવા શું કરવું જોઈએ ?


આ વિટામિનની ઉણપને કારણે આંખો નબળી પડી જાય છે 


શરીરમાં વિટામિન A ની ઉણપને કારણે આંખો નબળી થવા લાગે છે. વિટામિન A આંખોની રોશની, ત્વચા, હાડકાં અને શરીરના અન્ય કોષોને મજબૂત રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન A ની ઉણપ તમને જીવનભર આંખોની રોશનીથી વંચિત કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે વિટામિન Aની ઉણપના લક્ષણો શું છે અને તેની ઉણપને કેવી રીતે દૂર કરવી ?


વિટામીન A ની ઉણપના લક્ષણો આ રીતે ઓળખો 


વિટામીન Aની ઉણપને કારણે ત્વચા વધુ પડતી શુષ્ક અને નિર્જીવ બની જાય છે. વારંવાર ગળામાં દુખાવો અથવા ચેપ પણ આ ઉણપનું લક્ષણ છે. વિટામીન Aની ઉણપથી રતાંધળાપણું થઈ શકે છે. તેમજ મહિલાઓને ગર્ભધારણ કરવામાં પણ તકલીફ પડે છે. જો ઘાને રુઝવામાં જરૂર કરતાં વધુ સમય લાગે તો સમજવું કે શરીરમાં વિટામિન Aની ઉણપ છે. જો હાડકાં નબળાં હોય તો માત્ર વિટામિન ડી માટે જ નહીં પણ વિટામિન A માટે પણ ટેસ્ટ કરાવો.


વિટામિન A ની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો 


વિટામિન A ની ઉણપને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં ત્રણેય પ્રકારના આહાર - શાકાહારી, માંસાહારી અને વનસ્પતિ આધારિત - સામેલ કરી શકો છો. તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ઇંડા, ગાજર, પપૈયાની સાથે પાલક, દહીં, સોયાબીન અને અન્ય પાંદડાવાળા લીલા શાકભાજીનું સેવન કરો.     


જો શરીરમાં આ ફેરફાર જોવા મળે તો લીવરમાં થઈ શકે છે નુકસાન, જાણો તેના વિશે