Headache Problem Due to Food: વ્યસ્ત જીવનશૈલી અને વધતા તણાવને કારણે આજે ઘણા લોકો માઈગ્રેન અને માથાના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. થાક, તણાવ તો માથાના દુખાવા માટે જવાબદાર છે જ પરંતુ શું તમે લોકો જાણો છો કે તમારો ખોટો ખોરાક પણ તમારા માથાના દુખાવાનું કારણ બની શકે છે.ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયો ખોરાક ખાવાથી તમારા માથાનો દુખાવો શરુ થઇ શકે છે અથવા તેમાં વધારો થઇ શકે છે. આ પહેલા જાણીએ કે આખરે કેમ થાય છે માથાનો દુખાવો


માથાનો દુખાવો શું છે?


માથાના કોઈપણ ભાગમાં ખુબ જ જોરથી અથવા ઝીણો ઝીણો દુખાવો થાય તેને આપણે માથાનો દુખાવો કહી શકીએ. માથાનો દુખાવો એ ખૂબ જ સામાન્ય સ્થિતિ છે જે મોટાભાગના લોકો તેમના જીવનમાં ઘણી વખત અનુભવે છે. જ્યારે આધાશીશી એ એક સામાન્ય પ્રકારનો માથાનો દુખાવો છે જે સામાન્ય રીતે માથાની એક બાજુએ થાય છે. માથાનો દુખાવો તમારી ખોટી જીવનશૈલી, તણાવ અથવા થાકને કારણે થઈ શકે છે.


આ ખોરાક તમારા માથાનો દુખાવોનું કારણ બની શકે છે


1. દારૂ અને તમાકુ


આલ્કોહોલનું સેવન માઈગ્રેનનું મુખ્ય કારણ હોઈ શકે છે. ડોકટરો પણ માને છે કે માથાનો દુખાવાની સમસ્યા સામાન્ય રીતે એવા લોકોમાં રહે છે જેઓ વધુ પડતું દારૂનું સેવન કરે છે. આ સિવાય ધૂમ્રપાન કરવાથી શરીરમાં સેરોટોનિનના સ્તર પર અસર થાય છે જેનાથી માઈગ્રેન થઈ શકે છે.


2. કેક, બ્રેડ


કેક અને બ્રેડને યીસ્ટ સાથે બનાવવામાં આવે છે. જે દરેકને અનુકૂળ નથી આવતું. આ સિવાય બ્રેડ અને રાંધેલા ખાદ્યપદાર્થોમાં ટાયરામાઈન નામનું ઘટક હોય છે. જે માથાના દુખાવામાં વધારો કરી શકે છે.


3. ઓછી કેલરીવાળા ખોરાક


ઓછી કેલરીવાળી વસ્તુઓ તરફ વળવું પણ તમારા માથાનો દુખાવોનું કારણ બની શકે છે. આના કારણે તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણની બહાર જઈ શકે છે. આ સિવાય જો તમે સમયસર ભોજન ન કર્યું હોય તો તેનાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે.


4. ચોકલેટ


અમે તમને પહેલા જ જણાવી ચુક્યા છીએ કે ચોકલેટમાં ટાયરામાઈન મળી આવે છે જે તમને માથાનો દુખાવો કરી શકે છે. તેથી જો તમે માથાના દુખાવાની સમસ્યાથી બચવા માંગતા હોવ તો ઓછામાં ઓછું ચોકલેટનું સેવન કરો.


5. કોફી


કોફીમાં સારી માત્રામાં કેફીન જોવા મળે છે. થોડા સમય પછી લોકોને તેની લત લાગી જાય છે. તેથી જો તમે પણ કોફી પીવાની આદત ધરાવો છો અને તાજેતરમાં તમે આ આદત છોડી દેવી જોઈએ. એકવાર વ્યક્તિ કેફીનનું વ્યસની બની જાય છે તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે.


6. અથાણું અને આથાવાળો ખોરાક


પનીર જેવા અથાણાં અને આથોવાળા ખોરાકમાં ટાયરામાઈનની વધુ માત્રા હોઈ શકે છે. આ ખોરાકમાં અથાણાં, કિમચી અને અથાણાંવાળા ભીંડાનો સમાવેશ થાય છે.