Health Tips: વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો અસ્થમાથી પીડિત છે. એવા ઘણા લોકો છે, જેમને મધ્યરાત્રિએ અસ્થમાનો હુમલો આવે છે. ચાલો જાણીએ કે, રાત્રે અસ્થમાના હુમલાની શક્યતા કેવી રીતે ઘટાડી શકાય?


રાત્રે અસ્થમાના  અટેકને કેવી રીતે ટાળવો?


સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તમારી દવાઓ નિયમિતપણે લેવાની સાથે, તમે કેટલાક એવા પગલાં લઈ શકો છો, જેની મદદથી રાત્રે અસ્થમાના અટેકથી બચી શકો છો.  આ ખતરનાક પરિસ્થિતિથી બચવા માટે તમે કયા પગલાં લઈ શકાય જાણીએ..


રાત્રે અસ્થમાના હુમલાથી કેવી રીતે બચવું



  1. તમારા રૂમને સાફ રાખોઃ રાત્રે અસ્થમાના હુમલાથી બચવા માટે તમારે સૌથી પહેલું કામ તમારા રૂમને સાફ રાખો. દરરોજ મોપ કરો. તે જગ્યાઓ પણ સાફ કરો જેની ઘણીવાર અવગણવામાં આવે છે, જેમ કે પંખાની બ્લેડ, કબાટની છત વગેરે.


 



  1. ગાદલાના પર કવર લગાવો: ડસ્ટ-પ્રૂફ ગાદલા અને ઓશીકાના કવર પથારીમાં ધૂળ, ગંદકી અને ધૂળને પ્રવેશતા અટકાવે છે. સાયન્સ ડેઇલી જર્નલમાં પ્રકાશિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ હેલ્થ સાયન્સના અભ્યાસ મુજબ, ગાદલા અને ઓશીકાના કવરનો ઉપયોગ એ બેડરૂમમાં ધૂળની જીવાતને ઘટાડવાનો શ્રેષ્ઠ અને સૌથી અસરકારક માર્ગ છે.


 



  1. અઠવાડિયામાં એક વાર બેડશીટ ધોવાઃ ઘરની સાફસફાઈની સાથે સાથે બેડશીટની સફાઈ પણ જરૂરી છે. અસ્થમાના હુમલાથી બચવા માટે દર અઠવાડિયે ચાદર ધોવાની ટેવ પાડો. જો તમને અસ્થમા ન હોય તો પણ દર અઠવાડિયે તમારી બેડશીટ અને તકિયાના કવર ધોઈ લો. તેમને ધોવા માટે ઠંડા પાણીને બદલે ગરમ પાણીનો ઉપયોગ કરો.


 



  1. પાલતુ પ્રાણીઓ સાથે એક જ રૂમમાં સૂવાનું ટાળોઃ ડોક્ટર્સનું કહેવું છે કે જો તમારી પાસે કોઈ પાળતુ પ્રાણી હોય તો તેને તમારા બેડરૂમથી દૂર રાખો, પછી ભલે તમે તેને સ્નાન કરાવીને ક્લિન જ કેમ ન રાખતા હોવ. કારણ કે તેઓ આખા ઘરની આસપાસ અથવા બહાર ફરે છે અને તેમના શરીર અને પગમાં વિવિધ પ્રકારની ગંદકી ચોંટી જાય છે.


 



  1. સૂતી વખતે તમારું માથું ઊંચું રાખો: નિષ્ણાતોના મતે, જો તમે સાઇનસના ચેપથી પીડિત હોવ તો ક્યારેય સીધી સ્થિતિમાં સૂશો નહીં, કારણ કે આ પોસ્ટનેસલ ડ્રિપને વધારી શકે છે, જે અસ્થમાના હુમલા તરફ દોરી શકે છે. સૂતી વખતે, તમારા માથાને નરમ ઓશીકું વડે થોડું ઉંચુ રાખો.


 



  1. સૂતી વખતે એર ફ્રેશનર અથવા મજબૂત પરફ્યુમનો ઉપયોગ કરવાનું ટાળોઃ જે લોકોને અસ્થમા છે તેમના માટે પરફ્યુમ અથવા કોઈપણ એર ફ્રેશનર જેવી તીવ્ર સુગંધવાળી વસ્તુઓ અસ્થમાના હુમલાનું જોખમ પેદા કરી શકે છે. એરોસોલ સ્પ્રે, વોલ પ્લગ-ઇન્સ અને સુગંધિત મીણબત્તીઓ પણ અસ્થમાને ઉત્તેજિત કરી શકે છે.