Underweight : સ્થૂળતા એ ગંભીર આરોગ્ય સમસ્યા છે. ખરાબ ખોરાક અને લાઈફસ્ટાઈલના કારણે તે ઝડપથી વધી રહી છે. જેના કારણે અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. સ્થૂળતાના કારણે હૃદયરોગ, ડાયાબિટીસ, ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. આ રોગોના કારણે શરીર મુશ્કેલીમાં મુકાય છે અને જીવનભર દવાઓ પર રહેવુ પડે છે. જો કે એવું નથી કે પાતળું હોવું ફાયદાકારક છે. સ્થૂળતાની જેમ જ   પાતળું હોવું પણ ખતરનાક બની શકે છે.  જેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવો જાણીએ...
 


બોડી માસ ઇન્ડેક્સ (BMI) ગણતરી શરીરની લંબાઈ અને વજનના ગુણોત્તર પરથી મેળવવામાં આવે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, તંદુરસ્ત વ્યક્તિનું BMI કાઉન્ટ 18.5 થી 24.9 ની રેન્જમાં હોવું જોઈએ. જો આનાથી ઓછું હોય તો તેઓ ઓછા વજનની શ્રેણીમાં આવે છે. જેના ઘણા ગેરફાયદા હોઈ શકે છે
 
પાતળા હોવાને કારણે 5 ગંભીર સમસ્યાઓ થઈ શકે
 
1. કુપોષણની સમસ્યા 


જો કોઈ વ્યક્તિ વધુ પડતી પાતળી હોય તો તેનામાં પોષણની કમી હોય છે અને તે કુપોષણનો શિકાર બને છે. જેના કારણે નબળાઈ, થાક, ટાલ પડવી, શુષ્ક ત્વચા અને દાંતની સમસ્યાઓ થઈ શકે છે.
 
2. નબળી રોગપ્રતિકારક શક્તિ


ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે ઓછું વજન હોવાનો અર્થ એ છે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને શરીરમાં વધુ વખત રોગો થવા લાગે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.
 
3. હાડકાં નબળા પડવા 


જ્યારે શરીરમાં પોષણની ઉણપ હોય છે તો વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા પણ થઈ શકે છે. આ રોગમાં હાડકાંની જાડાઈ ઓછી થવા લાગે છે. તેનાથી હાડકાં નબળાં પડી જાય છે અને ઈજા કે ફ્રેક્ચરનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે.
 
4. ઈનફર્ટીલિટીની સમસ્યા 


ઓછું વજન એટલે કે જો કોઈનું વજન જરૂર કરતાં ઓછું હોય તો તેના શરીરના હોર્મોન અસંતુલિત થઈ શકે છે. તેનાથી ઈનફર્ટીલિટીની સમસ્યા થઈ શકે છે. આ તદ્દન ખતરનાક બની શકે છે.
 
5. હાઈટ  વધતી નથી 


પોષણના અભાવે ઓછું વજન હોવાને કારણે બાળકોનો વિકાસ અટકી જાય છે. તેની ઊંચાઈ ઓછી રહે છે. તેથી વજન વધારવા માટે ફળ, શાકભાજી, દૂધ, ઈંડાનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી છે. કોઈપણ નિયમ, વસ્તુનો અમલ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લો. ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી.