અમદાવાદ: કોરોના વાયરસના સંક્રણ વચ્ચે હવે મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગશ) ના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  ગુજરાતમાં, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital, Ahmedabad)માં મ્યુકોરમાઈકોસિસના 296 દર્દીઓ સારવાર હેઠળ છે. 


સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરીટેન્ડેન્ટ ડૉ. જેવી મોદીએ જણાવ્યું કે, સિવિલમાં મ્યૂકોરમાઈકોસિસના 296 દર્દીઓ દાખલ છે. તેમના માટે અલગ વોર્ડ પણ બનાવાયો છે. જો જરૂર હોય તો, અમે બેડ વધારીશું. સરકાર અમને જરૂરિયાત મુજબ દરરોજ આ દર્દીઓની સારવાર માટે એમ્ફોટરિસિન અને ઓરલ એન્ટી ફંગલ દવાઓ પૂરી પાડે છે. 



વડોદરા (Vadodara)માં આજે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના વધુ 12 દર્દીઓ દાખલ કરાયા હતા. તેની સાથે મ્યુકોરમાઈકોસીસ ના કુલ 107 દર્દી હાલ સારવાર હેઠળ. જ્યારે મ્યુકોરમાઈકોસીસ થી વધુ 3 દર્દીના મોત થયા હતા. સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ માટે વધુ એક નવો વોર્ડ શરૂ કરાયો છ. જે દર્દીઓથી ફૂલ થઈ ગયો છે.  


ઉલ્લેખનીય છે કે,  કોરોના મહામારી (Corona) વચ્ચે હવે બ્લેક ફંગશનો સંક્રમણનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. બ્લેક ફંગસ બિમારીની ઝપેટમાં આવનારા ખાસ કરીને કોરોનાથી સાજા થયેલા તે દર્દીઓ છે, જેમને ડાયાબિટીસની ફરિયાદ છે. 


મ્યુકોરમાઈકોસિસના દર્દઓની સંખ્યામાં વધારો થતા હવે તેના ઈલાજ માટે જરૂરી એન્ફોટેરેસિન-Bના ઈંજેક્શનની અછતથી દર્દી અને તેના પરિવારજનોની મુશ્કેલી વધી છે. આજે અમદાવાદ સિવિલ પાસે સવારથી જ મ્યૂકરમાઈકોસિસ દર્દીના પરિવારજનો એન્ફોટેરેસિન-Bના ઈંજેક્શન માટે લાંબી કતારમાં ઉભા જોવા મળ્યા હતા. કલાકો સુધી કતારમાં ઉભા રહેવા છતાં  ઈંજેક્શન નથી મળી રહ્યા. 



શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?


બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. 


કોઈ વ્યક્તિ મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે સંક્રમિત થઈ શકે ?


જે લોકો અગાઉથી જ કોઈ રોગથી પીડાતા હોય છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી હોય, જેનું ડાયાબિટીસ નિયંત્રણમાં ના હોય.  સ્ટેરોઇડને લીધે ઈમ્યુનિટી પર અસર થઈ હોય અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે, તેમને આ ફંગલ ઈન્ફેક્શ જલ્દી થઈ શકે છે.