અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર બજરંગ સુપર માર્કેટનાં 3 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 3 કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સિંધુભવન વિસ્તારમાં આવેલ બજરંગ સુપરમાર્કેટને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ સુપર માર્કેટમાં ખરીદી કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ગઈ કાલે બજરંગ સુપર માર્કેટના માલિક સહિત બે કામ કરતા લોકો એટલે કે કુલ ત્રણ લોકોને કોના પોઝિટિવ આવ્યો છે. અહીંયા દરરોજ લોકો જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે અહીં આવતા હતા, પરંતુ સુપર માર્કેટમાં જ કામ કરતાં લોકોને કોરોના આવતા ટાઈમ એરીયા બનાવવામાં આવ્યો છે.

હાલ, બજરંગ સુપર માર્કેટને બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ તમામ સ્ટાફનું પણ હવે ચેકઅપ કરવામાં આવશે. ત્રણેય કોરોના પોઝિટિવ કર્મચારીઓની સમરસ હોસ્ટેલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.