અમદાવાદઃ શહેરમાં બે જ દિવસમાં ત્રીજી હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે બે હત્યા (Murder)ના બનાવો સામે આવ્યા પછી આજે એક યુવતી (Girl)ની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પતિથી અલગ રહેતી યુવતીની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. શહેરકોટડા પોલીસે (Ahmedabad Police) તપાસ હાથ ધરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિથી અલગ રહેતી 39 વર્ષીય પરિણીતાની બોથડ પદાર્થના ઘા મારીને તેમજ શરીરના ગુપ્ત ભાગે કોઈ પ્રવાહીથી દઝાડીને યુવતીની હત્યા કરી નાંખવામાં આવી છે. યુવતીને અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યાનું કારણ જાણવા અને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 


ગઈ કાલે શહેરના પૂર્વ વિસ્તારમાં યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. નીખિલેશ મિશ્રા નામના યુવક છરીના ધા ઝીંકી 3 લોકોએ હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બદનામ કેમ કરે છે એમ કહી આરોપીઓએ હત્યા કરી કરી નાંખી હતી. વસ્ત્રાલની અમરનાથ સોસાયટી ગેટ નજીક બનાવ બન્યો હતો. 


મોડી રાતે યુવકની હત્યા થઈ જતાં ચકાચર મચી ગઈ હતી. આરોપી અજય ઉર્ફે અજ્યોં અને સાગર ઉર્ફે શૂટર સહીત 3 લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યા કરનાર આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સિવાય  દાણીલીમડામાં પણ હત્યાની ઘટના સામે આવી છે. જુના ઝઘડાની અદાવતમાં આરોપી પિતા અને તેના 3 દીકરાઓએ હત્યા કરી છે. આરોપીઓએ ભેગા મળી આસીફ નીલગર પર જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર યુવક આસીફનું સારવાર દરમ્યાન મોત થતા હત્યાનો ગુનો દાખલ કરાયો છ.ે પોલીસે આરોપી સજુ છીપા, રાજા, તોસિફ અને ફઇમની શોધખોળ હાથ ધરી છે.