અમદાવાદઃ શહેરના હાટકેશ્વરમાં ભાઈના ઘરે જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. દંપતી ભાઈના ઘરે જમીને વસ્ત્રાલ ખાતે ઘરે જતા હતા. ઘરે જતા સમયે અકસ્માત નડ્યો હતો. દિનેશભાઇ અને પત્ની સુશીલા બહેનને અકસ્માત નડ્યો હતો. દંપતી એચ.ડી.એફ.સી બેંકમાં નોકરી કરતા હતા. સુશીલા બહેનનું માથું ફૂટી જતા અને પેટના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા મોત નિપજયું. એક ઇકો કારને પણ ટ્રક ચાલકે પહોચાડ્યું નુકશાન. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધ્યો. જીજે1 DZ 4199 નંબરના ટ્રકના ચાલકની શોધખોળ હાથ ધરી છે. 


આ અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, દંપતી સામેથી એક્ટિવા લઈને આવે છે. દરમિયાન સામેથી એક ટ્રેક આવે છે અને વળાંક લે છે. આ સમયે મહિલાને ટ્રક કચડીને નીકળી જાય છે. એક્ટિવાને ટક્કર વાગતાં એક્ટિવા પડી જતાં પુરુષને ઇજા થાય છે અને પગમાં ઇજાના કારણે તેઓ ટ્રક પાછળ દોડી શકતા નથી. તેઓ અન્ય વાહન ચાલકોને ટ્રકે અકસ્માત કર્યો હોવાનું જણાવતા સીસીટીવીમાં દેખાય છે. 


ગાંધીનગરઃ ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે. આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે. આવતીકાલે કચ્છ, ભાવનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ,મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં માવઠું પડશે. આગામી 24 કલાક તો લઘુત્તમ તાપમાનમાં કોઈ ફરક નહીં આવે. પરંતુ 23 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે. 23 થી 26 જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી સુધી ઘટી જશે. તો 25 થી 30 કિમી ગતિએ સુસવાટાભર્યા પવન ફૂંકાશે. આજે ડીસા અને ગાંધીનગર રહ્યાં સૌથી ઠંડુંગાર રહ્યું છે.  આ બંને શહેરોમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. 22 જાન્યુઆરીએ અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરુચ અને સુરત જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


કમોસમી વરસાદથી પાકને બચાવવા નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ખેતરમાં કાપણી કરેલા પાક અને ઘાસચારો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સુરક્ષિત સ્થળે મુકવામાં આવે ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.