અમદાવાદ :  અમદાવાદમાં  ભાજપના  કોર્પોરેટરના પુત્રની પત્નીએ આપઘાત કર્યો છે.  કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રની પત્નીએ આપઘાત કર્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  ઘરકંકાસની બાબતમાં લાગી આવતા આપઘાત કર્યો છે.

  


કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધુએ પિયરમાં પતિના ત્રાસથી આપઘાત કર્યો છે. પતિની દારૂ પીવાની ટેવને કારણે ઘણા સમયથી પરેશાન રહેતી હતી. તેના સસરાએ તેને પુત્રની દારૂની પીવાની આદત છોડાવવા બાધા રાખવાનું કહેતા તેને લાગી આવ્યું અને પિતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે સરખેજ પોલીસે કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.


કોર્પોરેટર સસરાએ પુત્રવધૂને પુત્રની દારૂની પીવાની આદત છોડાવવા બાધા રાખવાનું કહેતા પુત્રવધૂને લાગી આવ્યું અને પિતાના ઘરે બપોરના સમયે પ્લાસ્ટિકની દોરી બાંધી પંખે લટકી આપઘાત કરી લીધો હતો.  


Gujarat Weather: રાજ્યના ખેડૂતો માથે હજુ પણ માવઠાનું સંકટ, હવામાન વિભાગે આ તારીખે કરી કમોસમી વરસાદની આગાહી


રાજ્યના ખેડૂતો માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે.29થી 31 માર્ચ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેશે અને 29 તારીખે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ થશે. 30 તારીખે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં કમોસમી વરસાદ રહેશેઅને 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં માવઠું થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ રહેશે.


રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વરસાદની મજા માણી રહ્યા છે. રવિવારે (26 માર્ચ) ફરી એકવાર રાજધાની દિલ્હીમાં તાપમાન વધીને 31 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું અને બુધવાર (29 માર્ચ) સુધીમાં તે 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. સોમવાર અને મંગળવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.


સમગ્ર ઉત્તર ભારતીય રાજ્યોમાં વરસાદ, કરા અને વાવાઝોડામાં ઘટાડો થશે


હવામાન વિભાગ (IMD) અનુસાર, હવે સમગ્ર ઉત્તર ભારતીય રાજ્યોમાં વરસાદ, કરા અને વાવાઝોડામાં ઘટાડો થશે. આ બદલાતા હવામાનની અસર ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સોમવારે (27 માર્ચ) રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. આ અઠવાડિયે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, પરંતુ રવિવારથી, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર સૂર્યપ્રકાશ ચાલુ રહ્યો છે અને તાપમાનમાં વધારો પણ નોંધવામાં આવ્યો છે.