Ahmedabad Police News: આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મૉડમાં છે. આ અંતર્ગત આજે અમદવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિતાર આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કાયદો - વ્યવસ્થાની સ્થિતિનો હિસાબ કિતાબ આપ્યો હતો, એટલું જ નહીં સાથે જ અમદાવાદ SP રિંગરોડને અમદાવાદ શહેર પોલીસ હદમાં સમાવવા માટે ગૃહ વિભાગને પ્રસ્તાવ પણ મોકલાવ્યો હતો.


આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ મલિકે પોતાના છ મહિનાના કાર્યકાળનો ચિતાર આપ્યો હતો, જેમાં તેમને કરેલી કામગીરીના સંપૂર્ણ લેખાજોખા રજૂ કર્યા હતા. અમદાવાદ શહેરની ફરતે આવેલી ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવતા સરદાર પટેલ રિંગરોડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ફરતે આવેલ કુલ એક 75 કિલોમીટર અંતરના રિંગરોડ પોલીસની હદની દ્રષ્ટિએ વાત કરીએ તો 80% ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ થાય છે, જ્યારે બાકીનો ૨૦ ટકા રીંગરોડ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પોલીસ હદ વિસ્તારમાં સમાવિષ્ટ છે. હાલ ટ્રાફિક નિયમનની બાબતમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદમાં હોવાથી કામગીરીમાં ઘણીવાર સમસ્યા ઊભી થાય છે. જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારના ગૃહો વિભાગને રીંગરોડ આખો પટ્ટો અમદાવાદ શહેર પોલીસની હદમાં સમાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 


અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેમના 6 મહિનાના કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારે તેમના આવ્યા બાદ કામગીરીનો હિસાબ કિતાબ મીડિયા સમક્ષ રજૂ કર્યો. એ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક એ રીંગરોડની હદ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપી. આ ઉપરાંત તમને એ પણ કહ્યું કે જે વિસ્તારમાં દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુનઃવર્સન માટે અભ્યાસ કરીને એ દિશામાં કામગીરી કરવામાં પણ આવશે. પોલીસ કમિશનર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ આંકડાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી જેમાં એક ઓક્ટોબરથી 31મી જાન્યુઆરી સુધી શહેરમાં ૫૫ હજાર લીટર દેશી દારૂ અને ૫ લાખ ૭૩ હજાર ૯૩૭ બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેની કિંમત ૮ કરોડ ૧૫ લાખ ૯૪ હજાર થાય છે. 


આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ સિદ્ધિ પૈકી કુલ ૮૮૦ ગુનામાં પકડાયેલા ૪ કરોડ ૯ લાખનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હોવાની વાત કહીં છે. જેમાં સોના ચાંદી રોકડ રકમ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના રાજીવ મોદી સામે નોંધાયેલા બળાત્કારની ફરિયાદ મામલે તપાસ સંદર્ભે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને રામોલ પોલીસ સ્ટેશનની હાથમાં આવતા ઉમિયા નગર વિસ્તારમાં આ સામાજિક તત્વોના આતંક બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી.