અમદાવાદઃ  ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સતત સારવાર કરી રહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું નિધન થતાં દુઃખની લાગણી ફરી વળી છે. 56 વર્ષીય કેથલીન અનુપમને કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં ચેપ લાગ્યો હતો અને આ ચેપને કારણે તેમનું નિધન થયું છે.


ગુજરાતમાં કોરોનાનો કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસો છે. ગુજરાતમાં લોકો તો કોરોનાનો ભોગ બની જ રહ્યા છે, સાથે સાથે કોરોના વોરિયર્સ પણ કોરોનાના સંકંજામાં આવી ગયા છે. આવા જ એક કોરોના વોરિયર્સનું દર્દીઓની સારવાર કરતાં કરતાં નિધન થયું છે. 56 વર્ષીય કેથલીન અનુપમનું કોરોનાના કારણે મોત થતાં નર્સિંગ સ્ટાફમાં દુઃખની લાગણી ફરી વળી છે.

સિવિલ હોસ્પિટલના નર્સિંગ ઇન્ચાર્જ કેથરિન અનુપમ કોરોના સામે જંગ હારી ગયા છે. શરૂઆતી તબક્કાથી સિવિલ હોસ્પિટલમાં કેથલીન અનુપમ ફરજ બજાવતા હતા. આ કોરોના વોરિયર્સને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. આ સાથે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.