અમદાવાદઃ એક બાજુ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અમદાવાદના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર 261 દર્દીઓ જ સારવાર લઇ રહ્યાં છે.


છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 211‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,339‬‬ પર પહોંચ્યો છે.

અમદાવાદમાં આજે 147‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,238‬‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,456‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3631 એક્ટિવ કેસ છે.