Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન કરાયું છે. આખરે તો લોહીનો રંગ લાલ જ હોય છે. સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં એક બાજુ ઈશ્વરને પ્રાર્થના અને બીજુ બાજુ પરવરદીગારને કલમા પઢતાં દૃશ્યો સર્જાયાં હતા.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ  ૯૩મું અંગદાન હતું. અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું છે. અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરતું અંગદાન કર્યું છે. 


કિડની અને લીવરને અંગદાન તરીકે આપતા ત્રણ લોકોની જિંદગી બચશે


અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય શેખ રૂબેનભાઈને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતાં ૧૪ ઓક્ટોબરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ૧૬મી ઓક્ટોબરના રોજ તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાતાં હોસ્પિટલના તબીબોએ તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી. વટવાના આ મુસ્લિમ પરિવારે પુત્રની કિડની અને લીવરને અંગદાન તરીકે આપતા ત્રણ લોકોની જિંદગી બચશે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં ભૂવા પડતા હોય છે. ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તાના હાલત દયનીય બની જતી હોય છે. શહેરના ઘણા રસ્તા મગરની પીઠ જેવા બની ગયા હોય તેમ લાગતું હોય છે. ચોમાસામાં રોડ અને ભુવાના સમારકામ પાછળ એએમસીએ 14 કરોડનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું થે.


ચોમાસાના ચાર મહિના AMC ને કેટલા કરોડમાં પડ્યાં ?


અમદાવાદમાં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં ભૂવા પડતા હોય છે. ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તાના હાલત દયનીય બની જતી હોય છે. શહેરના ઘણા રસ્તા મગરની પીઠ જેવા બની ગયા હોય તેમ લાગતું હોય છે. ચોમાસામાં રોડ અને ભુવાના સમારકામ પાછળ એએમસીએ 14 કરોડનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું થે.

ચોમાસાના ચાર મહિના AMC ને 14 કરોડમાં પડ્યા

વરસાદી પાણીના કારણે શહેરમાં 35000 ખાડા અને 96 ભુવા પડ્યા છે. રોડના અને ભુવાના સમારકામ પાછળ AMC એ કર્યો 14 કરોડનો માતબર ખર્ચ કર્યો છે. રોડ કમિટી ચેરમેને દાવો કર્યો કે, તૂટેલા રોડ પૈકી મોટાભાગના રોડ 2019ની સાલ પહેલા બનેલા છે. કોન્ટ્રાક્ટરની મુદ્દત ત્રણ વર્ષ હોવાના કારણે રોડના સમારકામનો ખર્ચ AMC એ ઉઠાવવો પડશે. ટોરેન્ટ,BSNL, રિલાયન્સ જેવી કંપનીઓના ખોદકામના કારણે પણ અનેક રોડ ઉપર સમારકામ કરવા જરૂરી બન્યા હોવાનું રોડ કમિટી ચેરમેને જણાવ્યું હતું.