Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. એક સમયે રાજ્યમાં 15 આસપાસ કેસ નોંધાતા હતા પરંતુ તહેવારોમાં અપાયેલી છૂટ બાદ કેસમાં વધારો થયો છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ સાતમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. શનિવારે દિવસ દરમિયાન વધુ ૨.૯૬ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.


આ બે શહેરમાં 9 59 ટકાથી વધુ કેસ


છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ ૯, અમદાવાદમાંથી ૫, વલસાડમાંથી ૪, જુનાગઢમાંથી ૨ અને નવસારી-વડોદરામાંથી કોરોનાના ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૨૮૦ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૬ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૧ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૫,૯૮૧ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૫% છે.


રાજ્યમાં સુરતમાં સૌથી વધુ એક્ટિવ કેસ


રાજ્યમાં હાલ ૨૧૩ એક્ટિવ કેસ છે અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે. સુરત ૫૯, વલસાડ ૪૫, અમદાવાદ ૪૪ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. શનિવારે વધુ ૨,૯૬,૨૭૩ને કોરોના વેક્સિન અપાઇ હતી.  બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 15537 નાગરિકોને રસીનો પ્રથમ અને 65133 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 45874 નાગરિકોને રસીનો પ્રથમ અને 168656 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,96,273 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,67,17,912 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા


કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.