Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરિયાપુર કૉંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે  ભાજપના ઉમેદવાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.  ભાજપના ઉમેદવાર કૌશિક જૈન અસામાજિક તત્વો અને સાથે રાખીને મતદારોને ડરાવતા અને ધમકાવતા હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.  દરિયાપુર વિધાનસભાના ત્રણ ટર્મ ધારાસભ્ય રહેલા અને હાલના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન  શેખએ ભાજપના ઉમેદવાર કૌશિક જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે. 




રવિવારે દરિયાપુર વિસ્તારમાં પ્રચાર કરી રહેલી કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને કેટલાક અસામાજિક તત્વોએ પ્રચાર ન કરવા માટે ધમકી આપી હતી અને તે બાદ આ કુખ્યાત બુટલેગરો અને દારૂના અડ્ડા સાથે જોડાયેલા અસામાજીક તત્વો સાથે ભાજપના ઉમેદવારે બેઠક કરી હોવાનો વિડિયો પણ શેખે જાહેર કર્યો છે. ગ્યાસુદ્દીન શેખે કૌશિક જૈન પર ત્યાં સુધી આક્ષેપ કર્યા કે ભૂતકાળમાં તત્કાલીન ગૃહ મંત્રી અમિત શાહે પણ આ જ વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા ઉપર રેડ પડાવી હતી અને આ ચૂંટણીમાં અસામાજિક તત્વોની સાથે રાખીને ભાજપના ઉમેદવાર હિંદુ મતદારોને ડરાવી ધમકાવવાની કામગીરી કરી રહ્યા છે.


Gujarat election 2022: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ખાસ વાતચીત, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર


ગાંધીનગર:  હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.  જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.  કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.









આ પહેલી વાર જોવા મળ્યું છે કે હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી છે અને કોંગ્રેસના નેતા યાત્રા પર નીકળ્યા છે.  બની શકે કે એમના આવવાથી ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન થઈ જાય. કોંગ્રેસ ચૂંટણીને ગંભીરતાથી નથી લઈ રહી.  ગુજરાતમાં એક તરફી ચૂંટણીનો માહોલ છે, ક્યાંય કોઈ સામે મુકાબલો જ નથી.  બધી બાબતો એક તરફ છે અને નરેન્દ્ર મોદી એક તરફ છે.


ગુજરાતે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તાકાત આપી છે.  ગુજરાતમાં ભાજપની જીત એવી જ થશે કે લોકો ઇતિહાસમાં યાદ રાખશે. હિમાચલમાં આમ આદમી પાર્ટી આવી જ નથી શકી કેમકે હિમાચલમાં તો ઉપર ચડવું પડે છે.  પહાડ પર ચડતા ચડતા એમના શ્વાસ ફુલાઈ ગયા એટલે ત્યાંથી ફરી પાછા ગયા. હિમાચલ અને ગુજરાતમાંથી પાર્ટીની ડિપોઝિટ પણ જવાની છે. ભ્રષ્ટાચાર વિરોધી વાત કરવા વાળા પક્ષના નેતાઓ જેલમાં છે. સત્યેન્દ્ર જૈને જેલમાં મસાજ કરાવવું દુર્ભાગ્યપૂર્ણ છે એવી નોબત જ કેમ આવી કે ભ્રષ્ટાચાર આરોપ લાગે અને જેલમાં જવું પડે.  દિલ્હીમાં પણ ટિકિટ માટે પૈસા માંગવામાં આવે છે. 



પંજાબમાં પણ ત્રણ મહિનાની અંદર એક મંત્રીને સસ્પેન્ડ કરવા પડ્યા છે.  પંજાબમાં પણ કાનૂની વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી એવું કલ્ચર ઊભું કરી રહી છે કે આવનાર સમયમાં મોટું નુકસાન થશે.  8 તારીખે ચૂંટણીના પરિણામોમાં હિમાચલને ગુજરાતમાં ભાજપની જીત થશે.