ગાંધીનગર:  રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જેને લઈને રોડ રસ્તાને ભારે નુકાસાન થયું છે. પાણી ભરાવાને કારણે અને રસ્તાને નુકસાન થતા રાજ્યના કુલ 134 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પંચાયત હસ્તકના 111 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સ્ટેટ હાઈવેના 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અન્ય 14 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.


 



સૌથી વધુ જુનાગઢ જિલ્લાના પંચાયત હસ્તકના 43 સ્ટેટના 3 અને અન્ય 4 રસ્તાઓ મળીને 50 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં પંચાયત હસ્તકના 30 સ્ટેટના 2 અને અન્ય 3 રસ્તાઓ મળી 35 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં પંચાયત હસ્તકના 7 સ્ટેટના 3 અને અન્ય 2 રસ્તાઓ મળી કુલ 12 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં પંચાયત હસ્તકના 7 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વડોદરામાં પંચાયત હસ્તકના 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજકોટમાં પંચાયત હસ્તકના 4, સ્ટેટનો 1 અને અન્ય 3 રસ્તા સાથે કુલ 8 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.


સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં ઘૂસ્યા પાણી


 જામનગર જીલ્લાના લાલપુર,જામજોધપુરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જામજોધપુરમાં છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ અને દિવસ ભરનો કુલ 7 ઇંચ વરસાદ વરસ્યો છે. લાલપુરમાં  છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જામજોધપુરના સીદસર ગામ પાસે આવેલ ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ લાલપુરની ઢાંઢર નદીના પાણી લાલપુર ગામમાં ઘુસ્યા છે. એસટી ડેપો પાસે આવેલ રાધેશ્યામ મંદિરમાં પાણી ફરી વળ્યું છે અને એસટી ડેપો પણ પાણીમાં ગરકાવ થયો છે.



ગુજરાતમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સાથે અલગ-અલગ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્ર એટલે કે જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે. જેને પગલે 6 બટાલિયન NDRFની 8 ટીમ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે.  લાલપુર પંથકમાં  વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચાર થાંભલા વિસ્તાર, ઉમાધામ સોસાયટી, સહકાર પાર્ક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. 


01 ટીમ રાજકોટ (ટીમ રસ્તામાં છે)
01 ટીમ પોરબંદર (ટીમ રસ્તામાં છે)
01 ટીમ ગીર સોમનાથ
01 ટીમ કચ્છ 
01 ટીમ નવસારી
01 ટીમ  વલસાડ
01 ટીમ અમરેલી
01 ટીમ જૂનાગઢ


કુતિયાણામાં 7 તો માધવપુરમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર


પોરબંદર જિલ્લાના ઘેડપંથકના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે  કુતિયાણા તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા ગામડાઓ જળ બંબાકાર થયા છે. તો કુતિયાણા તાલુકાના પસવારીથી ઘેડ પંથકને જોડતા રસ્તા પર ભાદર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત મહોબતપર ગામના 160 લોકોનું રેસ્કયું કરી સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. હજુ પણ ભાદર નદીનું સ્તર વધી રહ્યું છે. હાલ વહીવટી અને પોલીસ વિભાગના જવાનો સતત ખડેપગે જોવા મળી રહ્યા છે.



Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial