Ahmedabad News:  અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શનિવારની મોડી રાત્રે કોઇ ફેબ્રિકેશનના ધંધાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઇ હતી. સમગ્ર ઘટનામાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે જ્યારે એકનું મૃત્યુ થયું છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ ફેબ્રિકેશનના બિઝનેસમાં બંને પક્ષના વેપારીઓ વચ્ચે બબાલ થઇ હતી મામલો ઉગ્ર બનતા મારામારી પર બંને જુથના લોકો ઉતરી આવ્યાં હતા. બે પક્ષો વચ્ચે સામસામે થયો પથ્થરમારો સર્જાયો હતો.  જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ મૃતક  પરપ્રાંતીય નવાજુદ્દીન નામના યુવક હોવાનું સામે આવ્યું છે.