અમદાવાદ પછી સૌથી વધુ એક્ટિવ કેસો સુરતમાં 1865 છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 3921 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કોરોનાથી કુલ 182 લોકોના મોત થયા છે. આ પછી વડોદરામાં સૌથી વધુ 669 એક્ટિવ કેસો છે. જેની સામે 1850 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ પછી રાજકોટમાં 239 એક્ટિવ કેસો છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ 157 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 13 લોકોના મોત થયા છે.
આ સિવાય 100થી વધુ એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગરમાં 156, ભરુચમાં 148, ભાવનગરમાં 169, જામનગરમાં 120, જૂનાગઢમાં 105, મહેસાણામાં 141 પાટણમાં 100 અને વલસાડમાં 145 એક્ટિવ કેસો છે.