અમદાવાદઃ આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે PM મોદીની અમદાવાદની મુલાકાત અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. PM મોદી ઝાયડ્સ ફાર્મા કંપનીમાં 2 ક્લાર્કનો સમય કાઢીને અમદાવાદ આવવાના છે. ભારતમાં બનતી કોરોનકની વેકસીનનું કાર્ય PMએ જાતે સંભાળ્યું છે.


PM ઝાયડ્સમાં બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કરશે. PM અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડ્સના ચાંગોદાર ખાતેના પ્લાન્ટમાં જશે. PM અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદાર જશે. 2 કલાક ઝાયડ્સના પ્લાન્ટમાં રોકાઈને વેકસીન અંગે માહિતી મેળવશે. PM ચાંગોદારથી હેલિકોપ્ટર મારફતે એરપોર્ટ પહોંચશે અને સીધા પૂના જશે.