અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદે મેગા ઈવન્ટ SBS- GWFM HR લીડર્સ સમિટ 21નું આયોજન કર્યું હતું જેનો વિષય હતો "વન સ્ટેપ અહેડઃ રિએલાઈનિંગ એચઆર વ્હેન ફ્યુચર બિકમ્સ રિયાલિટી". આ કાર્યક્રમ આ ઉદ્યોગના ટોચના પ્રેક્ટિશનર્સ માટે એક બૌદ્ધિક ચર્ચા સમાન હતો જેમાં વર્તમાન સમયમાં એચઆરના તમામ પાસા આવરી લેવાયા હતા અને વર્કપ્લેસને ભવિષ્ય માટે સજ્જ બનાવવા કેવા ફેરફાર કરવા જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી. 



એસબીએસે ડો. ઓગસ્ટસ અઝારિયા, એસોસિયેટ ડિરેક્ટર, હ્યુમન રિસોર્સ, આઇબીએમનો ખાસ આભાર માન્યો હતો જેમણે "બિલ્ડિંગ અજાઈલ એન્વાયર્નમેન્ટઃ ધ ફ્યુચર ઓફ વર્કપ્લેસ"ના વિષય પર અત્યંત રસપ્રદ ભાષામાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં નિષ્ફળતાને સહન કરવાની ક્ષમતા એ ટકી રહેવા માટેના સિદ્ધાંત છે. મોટી કંપનીઓ દ્વારા પણ આ મોડેલનો સારી રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યક્તિએ પોતાની ભૂલોમાંથી શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને એ બાબતે પ્રેરિત કર્યા હતા કે શીખતા રહેવું એ એક પ્રવાસ છે અને વ્યક્તિએ પોતાનું કૌશલ્ય સતત વધારતું રહેવું જોઈએ. 


શ્રી ગૌરવ સૈની, એચઆર ડિરેક્ટર, એચએમડી ગ્લોબલ (નોકિયા ફોન્સ),  હાલની પરિસ્થિતિમાં પરફોર્મન્સ સુધારવાના વિષય પર તેમણે વિશેષ માહિતી આપી હતી જે વર્તમાન પરિસ્થિતિમાં પ્રદર્શન સુધારવાને લગતી હતી. હાલની પરિસ્થિતિમાં પરફોર્મન્સ મેનેજમેન્ટનું મંત્ર ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવા પર છેઃ ટૂંકા ગાળાના લક્ષ્યની વારંવાર સમીક્ષા કરો, રિયલ ટાઈમ ફિડબેક કલ્ચરનું સર્જન કરો, તથા ટીમને ઇનામ આપવા અને ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરો. 



ત્રણ પેનલ ડિસ્કસન અત્યંત માહિતી સમૃદ્ધ હતી અને વિવિધ પેનલમાં ચર્ચાનો સ્તર દરેક પેનલના વર્ષોના અનુભવ દ્વારા વ્યાખ્યાયિત થયો હતો. 20થી વધારે વક્તાઓ, બે મુખ્ય પ્રવચનો અને 3 પેનલ ડિસ્કસન સાથે આ કાર્યક્રમે સાડા પાંચ કલાક સુધી શ્રોતાઓને જકડી રાખ્યા હતા.  શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ આ એચઆર સમિટના વિચારને આકાર આપ્યો છે જેમાં અસરકારક અમલીકરણ માટે સમયાંતરે દિશા આપવામાં આવી છે.  આ કાર્યક્રમમાં જુદા જુદા સેક્ટરના 100 જેટલા એચઆર પ્રોફેશનલોએ ભાગ લીધો હતો તથા એસબીએસના 300 વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા હતા.