અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ સુરતમાં અત્યારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ સુરતથી અમદાવાદ આવતાં લોકોનું કડક સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે.


અમદાવાદમાં ફરીથી કોરોનાનો ફેલાવો ન થયા તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં પ્રવેશ કરતા રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમોએ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના પ્રવેશ પર રેપીડ ટેસ્ટથી ચકાસણી કરવામાં આવી રહી છે. સુરત પાર્સીંગ વાળા વાહનો અમદાવાદમાં પ્રવેશ થાય તે પહેલા તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.