અમદાવાદઃ શહેરની વસ્ત્રાલ આરટીઓના ત્રણ આરટીઓ ઇન્સ્પેક્ટરોને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની વસ્ત્રાલ આરટીઓના ત્રણ આરટીઓ ઇન્સપેક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેય અધિકારીઓને કોરોનાના લક્ષણો જણાતા ગઈ કાલે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ત્રણેય અધિકારીઓનો કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.


ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 37636 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1979 પર પહોંચ્યો છે. આજે 421 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 26744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં 172, વડોદરા કોર્પોરેશનમાં 49, સુરત-45, રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ 15, મહેસાણા 15,ભરૂચ 15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જૂનાગઢ કોર્પોરેશન 7, મહિસાગર 7, અમરેલી 6, દાહોદ 6,જૂનાગઢ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, પાટણ 5, મોરબી 5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, તાપી 3, સાબરકાંઠા 2, છોટા ઉદેપુર 2, નર્મદા 1, બોટાદ 1 અને દેવભૂમિ દ્વારકામાં એક કેસ નોંધાયો છે.