અમદાવાદ:અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ  સ્કૂલ" ની  બે  વિદ્યાર્થીની કુમારી  નેહા મંધાનિયા  અને  પ્રશંષા  અગ્રવાલને આઈડીએફસી  ફર્સ્ટ  બેંન્ક  તરફથી એમબીએ અને પીજીડીએમના વિદ્યાર્થીઓને  વર્ષ  2019-20 માટે  આપવામાં  આવતી  સ્કોલરશીપ  એનાયત  કરવામાં  આવી  છે.


આ બંને  વિદ્યાર્થીનીઓને તેમના  પ્રથમ  વર્ષ  માટે  એક -એક  લાખ  રૂપિયાની સ્કોલરશીપ  આપવામાં  આવી છે. તેમજ  આવનારા બીજા  વર્ષ  માટે  પણ  બંન્ને વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ  રૂપે એક -એક  લાખ  રૂપિયા  આપવામાં  આવશે.  આ સ્કોલરશીપ માટે સમગ્ર  ભારતમાંથી  લગભગ  ત્રણ  હજાર જેટલા એમબીએ અને પીજીડીએમના વિદ્યાર્થીઓએ અરજી  આપી  હતી, જેમાંથી શૈક્ષણિક યોગ્યતાના આધારે તૈયાર કરવામાં  આવેલા મેરીટ પરથી લેવામાં  આવેલા ઇન્ટરવ્યુના   આધારે  આ  બંને  વિદ્યાર્થીઓને  સ્કોલરશીપ  એનાયત  કરવામાં  આવી  છે.