મળતી જાણકારી અનુસાર ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવતા દસક્રોઇ, સાણંદ, બાવળા, વિરગામ અને ધોળકા તાલુકાના 111 ગામોના ખેડૂતોનો પાક નાશ થતા બચી જશે. આ પાણી છોડવામાં આવતા અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. પાણીનો સૌથી વધુ લાભ ડાંગરના પાકને મળશે.
નોંધનીય છે કે 15મી જુલાઇએ સરકારે વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો હતો પરંતુ 129 ફૂટનું લેવલ જાળવતા 7 દિવસ લાગ્યા હતા. નોંધનીય છે કે ગત સપ્તાહે બેરેજની સપાટી 125 ફૂટ હતી જે વધીને 130.50 ફૂટ થઇ ગઇ હતી.