અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે , ત્યારે કોરોનાના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડની સારવાર માટે  ઝાયડસે તૈયાર કરેલી પેગઈન દવાના ઉપયોગ માટે DGCI સમક્ષ માગી મંજુરી માંગવામાં આવી છે. 


pegIFN ની દવા માટે મંજુરી માગી છે. ફેઝ થ્રી 3ના ટ્રાયલમાં આ દવાના સારા પરિણામો મળ્યા છે. ટ્રાયલ દરમિયાન દવાના ઉપયોગ કરનારા દર્દીઓનો કોરોના RTPCR રીપોર્ટ 7 દિવસમાં નેગેટીવ આવ્યા છે. ફેઝ થ્રી ટ્રાયલમાં  91.15 ટકા પેશન્ટ રીકવર થયા છે.