Anand: આણંદના  વાસદ ટોલનાકા નજીકથી MDM ડ્રગ્સ સાથે કાર ચાલક ઝડપાયો છે. આણંદની SOG પોલીસે કાર ચાલકને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. લકઝરીયસ કારમાંથી 5.387 ગ્રામ MDM ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસે ડ્રગ્સ સહિત વડોદરાનાં અશ્વિન ઉર્ફે જલોની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 21.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હતી.


સામૂહિક આપઘાત મામલે પોલીસે TRB સહિત બે વ્યાજખોરો ને ઝડપ્યા, જાણો કેટલું વસૂલતા હતા વ્યાજ


રાજકોટના સોની દંપત્તિના સામૂહિત આપઘાત મામલો મોટો ખુલાસો થયો છે. પોલીસે આ ઘટનામાં ટીઆરબી સહિત બે વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે. આ લોકો 10 ટકાથી વધુ વ્યાજ વસૂલ કરતાં હતા. ટ્રાફિક વોર્ડન ધર્મેશ સોલંકી અને પ્રહલાદ સિંહ જાડેજાની પોલીસે કરી ધરપકડ છે અને હજુ પણ બે વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે. 22 દિવસ પેહલા સોની દંપતી અને પુત્રએ વ્યાજખોરોના ત્રાસથી સામૂહિક આપઘાત કર્યો હતો.


આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી પોલીસે મોતને ભેટેલા સોની પરિવારના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલની તપાસ કરતાં તેમાં કરણ ધર્મેશભાઈ સોલંકી (ઉ.વ.22) નામનો ધોબી યુવાન કે જે ગાયત્રીનગર શેરી નં.2માં જલારામ ચોક પાસે ‘જય ભવાની’ નામના મકાનમાં રહે છે તે અને પ્રહલાદસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.31) નામનો ગરાસીયા યુવાન કે જે રાધેકૃષ્ણ સોસાયટી શેરી નં.1, બ્રહ્માણી હોલવાળી શેરીમાં રહે છે તેમના વારંવાર કોલ થયેલા હોવાનું અને પરિવારને વ્યાજ માટે વારંવાર ધમકાવ્યો હોવાનું ખુલતાં બન્નેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કરણ અને પ્રહલાદસિંહે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે કરણે એક વર્ષ પહેલાં મૃતક કીર્તિભાઈ ધોળકીયાને 10% વ્યાજ લેખે 46 હજાર રૂપિયા આપ્યા હતા.


પ્રહલાદસિંહ જાડેજાએ એક વર્ષ પહેલાં જ 10% વ્યાજ લેખે 70 હજાર રૂપિયાનું ધિરાણ કર્યું હતું. આ પછી બન્ને નિયમિત રીતે કીર્તિભાઈ પાસેથી વ્યાજ વસૂલતા હતા. જો કે છેલ્લા થોડા સમયથી કીર્તિભાઈની સ્થિતિ નબળી હોવાથી તેઓ વ્યાજ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતા એટલા માટે બન્નેએ વ્યાજ માટે કીર્તિભાઈને ધમકાવાનું શરૂ કર્યું હતું અને વારંવાર માથાકૂટ કરી હોવાનું કબૂલ્યું હતું.


આ પણ વાંચોઃ


પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, નાયગ્રા ધોધ પર કરાઈ રોશની, જુઓ તસવીરો