આણંદ: જિલ્લાના 30 વર્ષીય યુવકને લગ્નેત્તર સંબંધમાં જીવ ગુમાવવો પડ્યો છે. પ્રેમિકાના પતિને પ્રેમસંબંધ અંગે જાણ થઈ જતાં યુવકને બર્થડે પાર્ટીમાં બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આ હત્યાના કેસનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને બેની ધરપકડ કરી લીધી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, આણંદના મોગરી ગામના 30 વર્ષીય યુવકનો બોરિયાવી પાસેથી પસરાર થતી મોટી નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ ઘરેથી બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને નીકળેલો યુવક ઘરે નહીં પહોંચતા તેમણે પોલીસને જાણ કરી હતી. દરમિયાન તપાસ કરતાં યુવકનું બાઇક બોરિયાવી નહેર પાસેથી મળી આવ્યું હતું. પોલીસે સઘન તપાસ કરતાં યુવકની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. આ ગુનામાં પોલીસે બે યુવકોને ધરપકડ કરી લીધી છે. 


મૃતક યુવકને આરોપીની પત્ની સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમી-પ્રેમિકા બંને પરણીત હોવાં છતાં તેમણે આ અનૈતિક સંબંધ આગળ વધાર્યો હતો. દરમિયાન ત્રણ દિવસ પહેલા પતિને પત્નીના પ્રેમસંબંધ અંગે જાણ થઈ જતાં ઘરમાં હોબાળો મચી ગયો હતો. પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવતાં પત્નીને માર પણ માર્યો હતો. એટલું જ નહીં, બંનેના પરિવાર સુધી વાત પહોંચી હતી. અંતે પત્નીએ માફી માંગી લીધી હતી. 


બીજી તરફ પત્નીના પ્રેમી સાથે પતિએ મિત્રતા કરી લીધી હતી અને દીકરીના જન્મદિવસ પર પત્નીના પ્રેમીને તેની પત્ની સાથે બોલાવીને પત્ની સામે જ પ્રેમપ્રકરણનો ભાંડાફોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, પ્રેમી દીકરીના બર્થડેમાં એકલો જ આવતાં પ્રેમિકાના પતિએ તેની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો તેમજ તેને બંને આરોપી કેનાલ પાસે લઈ ગયા હતા અને ત્યાં જ હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. 


Ahmedabad : મોડી રાતે પ્રેમિકા સાથે એકાંત માણવા ઘરે આવ્યો પ્રેમી ને પતિ જોઇ ગયો, ને પછી તો


અમદાવાદઃ ગઈ કાલે શહેરમાં એક જ દિવસમાં 3-3 હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. શહેરના રામોલ વિસ્તારમાં યુવકે તેની પ્રેમિકાની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના મોતને પગલે ત્રણ સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના રામોલમાં આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં યુવતી તેના પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતી હતી. યુવતીના પતિને કારખાનમાં કામ બાબતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. આ પછી તે યુવતીના ઘરે આવતો હતો. જેને કારણે પરિણીતા અને પતિના મિત્રને પ્રેમ થઈ ગયો હતો. 


એક માસ અગાઉ પરિણીતા ધાબા પર સૂતી હતી, ત્યારે મોડી રાતે તેનો પ્રેમી મળવા આવ્યો હતો. આ જ સમયે તેનો પતિ આવી જતાં બંનેને જોઇ ગયો હતો. જેને કારણે હોબાળો થઈ ગયો હતો અને પતિએ સાસરીવાળાને બોલાવીને આ અંગે જાણ કરતાં પરિણીતાએ માફી માંગી લીધી હતી અને હવે પછી આવું નહીં થાય તેમ જણાવ્યું હતું. 


જોકે, ગઈ કાલે બપોરે પતિ અને તેના સાસુ બહાર ગયા હતા, ત્યારે તેનો પ્રેમી આવી ગયો હતો. તેમજ તેણે ઘરને અંદરથી લોક કરી દીધું હતું અને નાનીની હાજરીમાં પ્રેમિકા સાથે ઝઘડો કર્યો હતો. આથી નાની વચ્ચે પડી હતી. જોકે, તેમને ધક્કો મારતાં તેઓ નીચે પડી ગયા હતા. 


આ પછી પ્રેમીએ છરીથી પ્રેમિકા પર હુમલો કરી દીધો હતો. શરીર પર છરીના ઉપરા-ઉપરી ઘા કરતાં પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પછી પ્રેમીએ જાતે પોતાના ઘળા અને પેટમાં છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો થતાં પાડોશીએ પરિણીતાના પતિને ફોન કરતાં તેઓ આવી ગયા હતા. આ પછી આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.