ભાવનગર: ભાવનગર કોર્ટે 2015ના બનાવટી નોટ પકડવાના મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. 2015માં ઢસામાંથી બનાવટી નોટ પકડાઈ હતી. આ કેસમાં ઢસા સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરપ્રતાપદાસજી સહિત 3ને કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.


જ્યારે મુખ્ય આરોપી ભુપત ઝાકડીયાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ભાવનગર પ્રિન્સિપલ ડ્રિસ્ટિકટ સેસન્સ જજ આર.ટી વચ્છાનીએ ચુકાદો આપ્યો છે.

ભાવનગર શહેરના ભરતનગરના જીએમડીસી નવા કવાર્ટર પાસેથી બે લાખની નકલી નોટના મુદ્દામાલ સાથે પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી હતી.