Breaking News Live Updates: આરએસએસ અને ભાજપની વિચારધારા અલગ છે, અમારી વિચારધારા અલગ છે- કોંગ્રેસ

Breaking News Updates: દેશ-વિદેશના સમાચારો જાણવા માટે, અહીં બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Jan 2023 02:51 PM
આરએસએસ અને ભાજપની વિચારધારા અલગ છે, અમારી વિચારધારા અલગ છે- કોંગ્રેસ

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, 'ભારત જોડો યાત્રા ચોક્કસપણે કન્યાકુમારીમાં શરૂ થઈ હતી. અમે ચૂંટણી મશીન નથી. આરએસએસ અને ભાજપની વિચારધારા આપણને એક તરફ લઈ જઈ રહી છે. આપણી વિચારધારા અલગ છે અને તે બે વિચારધારાઓનો અથડામણ છે. એ વિચારધારા સામે લડવા માટે કોંગ્રેસે વિચાર્યું કે અમારે જનસંપર્ક કરવો પડશે અને જનતાની વચ્ચે રહીને તેમની માંગણીઓ અંગે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે.

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ IOA પ્રમુખ પીટી ઉષાને લેખિત ફરિયાદ મોકલી

વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ WFI ચીફ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ IOA પ્રમુખ પીટી ઉષાને લેખિત ફરિયાદ મોકલી છે. બજરંગ પુનિયાએ IOA પ્રમુખ પીટી ઉષાને પત્ર લખ્યો છે. ફરિયાદમાં બ્રિજ ભૂષણ પર યૌન શોષણ અને નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યૌન શોષણના આરોપો પર WFI પ્રમુખના રાજીનામા અને તપાસ સમિતિની રચનાની માંગ કરવામાં આવી છે.

ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને કાલી પોસ્ટર વિવાદમાં રાહત મળી

કાલી પોસ્ટર વિવાદમાં ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને રાહત મળી છે. દેવી કાલીનું વિવાદાસ્પદ પોસ્ટર શેર કરવા અને વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મ બનાવવા બદલ દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં નોંધાયેલી 6 FIR સહિત કોઈપણ FIRમાં ધરપકડ પર રોક લગાવવામાં આવી છે. FIR રદ કરવાની માંગણી પર નોટિસ જારી કરવામાં આવી છે. આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીએ થશે.

શું કહ્યું પીએમ મોદીએ

પીએમ મોદીએ કહ્યું કે પાછલા 8 વર્ષમાં મોટા પાયા પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે લાખો રોજગારીની તકો ઉભી થઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100 લાખ કરોડનું રોકાણ રોજગારીની વિપુલ તકોના દ્વાર ખોલી રહ્યું છે. ઝડપથી આગળ વધી રહ્યા છે, ભારતમાં રોજગાર અને સ્વ-રોજગારની તકો સતત સર્જાઈ રહી છે. જ્યારે વિકાસ ઝડપથી થવા લાગે છે, ત્યારે સ્વ-રોજગારની તકો અસંખ્ય માત્રામાં વધવા લાગે છે. આજે સ્વરોજગાર ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે પારદર્શક રીતે ભરતી અને પ્રમોશનથી યુવાનોમાં આત્મવિશ્વાસ વધે છે. આ પારદર્શિતા તેમને વધુ સારી રીતે સ્પર્ધામાં પ્રવેશવા પ્રેરે છે. અમારી સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે.

પીએમ મોદીએ સોંપ્યા નિમણૂક પત્ર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન 'રોજગાર મેળા' હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં લગભગ 71 હજાર નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂર પત્ર સોંપ્યો. આ દરમિયાન, રોજગાર મેળાને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું કે રોજગાર મેળો આપણા સુશાસનની ઓળખ બની ગયો છે અને તે અમારા વચનો પૂરા કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

બ્રિજ ભૂષણ શરણ સિંહે કોન્ફરન્સનો ટાઈમ બદલ્યો

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ હવે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના નવાબગંજમાં રેસલિંગ ટ્રેનિંગ સેન્ટરમાં સાંજે 4 વાગ્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.

NIA એ PFIના આ સભ્યો સામે જાહેર કર્યુ 5 લાખનું ઈનામ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના બે સભ્યો- કોડાજે મોહમ્મદ શરીફ, 53, અને મસુદ KA, 40, બંને કર્ણાટકના કન્નડ જિલ્લાના રહેવાસીઓ સામે 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે

કુસ્તીબાજો સવારે 10:30 વાગ્યે જંતર-મંતર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે

WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પહેલા વિરોધ કરી રહેલા તમામ રેસલર્સ મીડિયાને સંબોધિત કરશે. કુસ્તીબાજોની આ પ્રેસ કોન્ફરન્સ સવારે 10:30 વાગ્યે જંતર-મંતર ખાતે યોજાશે.

CBIએ બિઝનેસમેન અમિત અગ્રવાલ વિરુદ્ધ FIR નોંધી

સીબીઆઈએ દિલ્હીમાં બિઝનેસમેન અમિત અગ્રવાલ અને કોલકાતા પોલીસના કેટલાક અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. અમિત અગ્રવાલ પર ગુનાહિત ષડયંત્ર રચવાનો અને ખોટી ફરિયાદ દાખલ કરવાનો આરોપ છે. આ કાર્યવાહી ઝારખંડ હાઈકોર્ટના આદેશ પર કરવામાં આવી છે.

ભારત જોડો યાત્રાઃ આજે કઠુઆથી કાશ્મીરની યાત્રાની ઔપચારિક શરૂઆત

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશી ચૂકી છે. આજે કઠુઆથી કાશ્મીરની યાત્રાની ઔપચારિક શરૂઆત થશે. 26 જાન્યુઆરી સુધી રાહુલ ગાંધીનો જમ્મુ ક્ષેત્રના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ચાલુ રહેશે. યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.





શાહી ઇદગાહ મસ્જિદના અમીની સર્વે કરવા માટે આજે મથુરા કોર્ટમાં સુનાવણી

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના જમીન વિવાદ અંગે હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વિષ્ણુ ગુપ્તાની અરજી પર કોર્ટે અગાઉ અમિની તપાસનો આદેશ આપ્યો હતો. જેના કેસમાં મસ્જીદ પક્ષના વકીલ વતી કોર્ટમાં અમીની ઈન્સ્પેકશન સર્વે અટકાવવા અને તેઓની બાજુ સાંભળવા અરજી આપવામાં આવી હતી.

આજે આ વર્ષનો પ્રથમ રોજગાર મેળો

આજે PM મોદી 71 હજાર યુવાનોને નોકરી આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં જોડાશે અને એપોઇન્ટમેન્ટ લેટર મેળવનારા લોકોને પણ સંબોધિત કરશે. કેન્દ્ર સરકાર દ્વારા 2023ના અંત સુધીમાં 10 લાખ નોકરીઓ આપવાના લક્ષ્યાંક હેઠળ ગયા વર્ષે 2022માં 2 જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 લાખ 46 હજાર યુવાનોને નોકરી આપવામાં આવી છે. હવે આજે વધુ 71 હજાર યુવાનોને નોકરી આપવામાં આવનાર છે.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 20th January 2023: જંતર-મંતર ખાતે કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીના આરોપો બાદ ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે રમતગમત મંત્રાલયે ગુરુવારે બ્રિજભૂષણ સિંહને અલ્ટીમેટમ આપ્યું છે અને તેમને 24 કલાકની અંદર રાજીનામું સોંપવા કહ્યું છે. આ પહેલા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી.


બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને રવિ દહિયા મોડી સાંજે કેન્દ્રીય મંત્રી સાથેની બેઠકમાં સામેલ થયા હતા. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ અને વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ વિજેતા વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પર મહિલા રેસલર્સનું જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.


રાજીનામા અને તપાસની માંગ


નવી દિલ્હીના જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણના રાજીનામાની માંગ કરી હતી અને સરકારને રાષ્ટ્રીય કુસ્તી મહાસંઘને વિસર્જન કરવા વિનંતી કરી હતી. વિરોધ શરૂ થયા પછી રમતગમત મંત્રાલયે બુધવારે (18 જાન્યુઆરી) WFI પાસેથી તેના અને તેના પ્રમુખ પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા માંગી હતી. બીજી તરફ, ગુરુવારે દિવસ દરમિયાન સમાચાર આવ્યા હતા કે બ્રિજ ભૂષણ 22 જાન્યુઆરીએ ઇમરજન્સી બેઠકમાં રાજીનામું આપી શકે છે.


'હું CBIનો સામનો કરવા તૈયાર છું'


બ્રિજ ભૂષણે કહ્યું, "હું એફઆઈઆરનો સામનો કરવા તૈયાર છું, હું સીબીઆઈનો સામનો કરવા તૈયાર છું. હું ભારતમાં સર્વોચ્ચ કાનૂની સત્તાનો સામનો કરવા માટે પણ તૈયાર છું. મેં એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં હાજરી આપી છે. "અને તેઓ જે પણ નિર્ણય લેશે હું કરીશ. હું તેમનાથી મોટો નથી અને દેશથી પણ મોટો નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.