Aadhaar Fraud Prevention Tips:  ભારતમાં વધતા ડિજિટલાઇઝેશન સાથે, ડિજિટલ પેમેન્ટ કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ (AePS) ડિજિટલ ચુકવણીની લોકપ્રિય પદ્ધતિ બની ગઈ છે. આમાં, તમારે ટ્રાન્ઝેક્શન કરવા માટે ફક્ત આધાર નંબર, બાયોમેટ્રિક/આઈઆરઆઈએસની જરૂર પડશે. આ સાથે આ પેમેન્ટમાં તમારે તે બેંકનું નામ પણ એન્ટર કરવાનું રહેશે જ્યાં તમારું બેંક એકાઉન્ટ છે. AePS દ્વારા ચૂકવણીને સુરક્ષિત રાખવા માટે, UIDAI એ એમ-આધાર એપ પર આધાર ડેટા એટલે કે બાયોમેટ્રિક્સને લોક કરવાની સલાહ આપે છે. જો કે, કેટલીકવાર વપરાશકર્તાઓ આ કરવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં, તેમની AePS છેતરપિંડીનો શિકાર બનવાની શક્યતાઓ વધી જાય છે. જો તમે AePS છેતરપિંડીથી તમારા મહેનતથી કમાયેલા પૈસા બચાવવા માંગતા હો, તો તમે બેંક દ્વારા સૂચવેલી ટીપ્સને અનુસરી શકો છો.



  1. બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરો-


જો AePS દ્વારા તમારા ખાતામાંથી ખોટી રીતે પૈસા ઉપાડવામાં આવ્યા છે, તો સૌથી પહેલા તેની જાણ બેંકને કરો. ગ્રાહકોની સુવિધા માટે અને છેતરપિંડીની જાણ કરવા માટે વિવિધ બેંકોએ નંબર જારી કર્યા છે. તમે આ નંબરો પર કૉલ કરીને અથવા મેસેજ કરીને છેતરપિંડીભર્યા વ્યવહારો વિશે બેંકને જાણ કરી શકો છો.



  1. ખાતું બ્લોક કરાવો


ETના રિપોર્ટ અનુસાર, જો આધાર દ્વારા તમારા ખાતામાં કપટપૂર્ણ વ્યવહારો થયા હોય, તો તમારે સૌથી પહેલા બેંકને તેની જાણ કરવી જોઈએ અને તમારું એકાઉન્ટ બ્લોક કરાવવું જોઈએ. આનાથી તમારા પૈસા સુરક્ષિત રહેશે અને અન્ય કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારની લેવડદેવડ કરી શકશે નહીં.



  1. અધિકારીઓને છેતરપિંડીની જાણ કરો


સાયબર ક્રાઈમ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી શેર કરવા માટે સરકારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ https://cybercrime.gov.in/ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મુલાકાત લઈને તમે 90 દિવસની અંદર તમારી સાથે થયેલી છેતરપિંડીની જાણ કરી શકો છો. આ સિવાય, AePS ફ્રોડના કિસ્સામાં, તમે UIDAI વેબસાઇટ https://uidai.gov.in/en/contact-support.html પર જઈ શકો છો.



  1. પ્રથમ ટ્રાન્ઝેક્શન પછી જ AePS ને બ્લોક કરો


ધ્યાનમાં રાખો કે UIDAI AePS દ્વારા એક સમયે માત્ર રૂ. 10,000 સુધીના વ્યવહારોને મંજૂરી આપે છે. આ રીતે, તમે એક દિવસમાં માત્ર 5 ટ્રાન્ઝેક્શન કરીને 50,000 રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકો છો. આવી સ્થિતિમાં, જો કોઈ સાયબર ક્રાઈમ દ્વારા પ્રથમ વખત 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો ધ્યાનમાં રાખો કે તમારે આ પછી તરત જ આગળના વ્યવહારો બંધ કરી દેવા જોઈએ. આ માટે તમારે તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરવો જોઈએ.