Stock Market Holidays 2024:  વર્ષ 2023 તેના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થવાનું છે. સ્ટોક એક્સચેન્જ NSE એ 2024માં શેરબજારની રજાઓનું લિસ્ટ બહાર પાડ્યું છે. શનિવાર અને રવિવારની રજાઓ ઉપરાંત વિવિધ તહેવારો અને વર્ષગાંઠોને કારણે સમગ્ર વર્ષ દરમિયાન 14 દિવસ શેરબજાર બંધ રહેશે. અમે તમને રજાઓની સંપૂર્ણ લિસ્ટ વિશે માહિતી આપી રહ્યા છીએ.


જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી દર મહિને આટલા દિવસો માટે શેરબજાર બંધ રહેશે


જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસના કારણે શેરબજાર બંધ રહેશે. ફેબ્રુઆરીમાં શનિવાર અને રવિવાર સિવાય તમામ દિવસોમાં શેરબજાર ખુલ્લું રહેશે. શેરબજાર માર્ચમાં ત્રણ દિવસ, એપ્રિલમાં બે દિવસ, મેમાં એક દિવસ, જૂનમાં એક દિવસ, જુલાઈમાં એક દિવસ, ઓગસ્ટમાં એક દિવસ, ઓક્ટોબરમાં એક દિવસ, નવેમ્બરમાં બે દિવસ અને ડિસેમ્બરમાં એક દિવસ બંધ રહેશે.


વર્ષ 2024 માં શેરબજારની રજાઓનું લિસ્ટ -



  • 26 જાન્યુઆરી, 2024- ગણતંત્ર દિવસના અવસર પર શુક્રવારે શેરબજાર બંધ રહેશે.

  • 8 માર્ચ, 2024- મહાશિવરાત્રીના અવસર પર શુક્રવારે શેરબજાર બંધ રહેશે.

  • 25 માર્ચ, 2024- હોળીના અવસર પર સોમવારે શેરબજાર બંધ રહેશે.

  • 29 માર્ચ, 2024- ગુડ ફ્રાઈડે નિમિત્તે શુક્રવારે શેરબજાર બંધ રહેશે.

  • 11 એપ્રિલ, 2024- ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના કારણે ગુરુવારે શેરબજાર બંધ રહેશે.

  • 17 એપ્રિલ, 2024- બુધવારે રામ નવમીના અવસર પર શેરબજાર બંધ રહેશે.

  • 1 મે, 2024- મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે બુધવારે શેરબજાર બંધ રહેશે.

  • જૂન 17, 2024- સોમવારે બકરીદ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

  • 17 જુલાઈ, 2024- મહોરમના કારણે બુધવારે શેરબજાર બંધ રહેશે.

  • ઓગસ્ટ 15, 2024- સ્વતંત્રતા દિવસના કારણે ગુરુવારે શેરબજાર બંધ રહેશે.

  • 2 ઓક્ટોબર, 2024- ગાંધી જયંતિના કારણે બુધવારે શેરબજાર બંધ રહેશે.

  • નવેમ્બર 1, 2024- દિવાળીના કારણે શુક્રવારે શેરબજાર બંધ રહેશે.

  • નવેમ્બર 15, 2024- ગુરુ નાનક જયંતિના કારણે શુક્રવારે શેરબજાર બંધ રહેશે.

  • 25 ડિસેમ્બર, 2024- ક્રિસમસના કારણે બુધવારે શેરબજાર બંધ રહેશે.


વર્ષ 2024માં મુહૂર્ત ટ્રેડિંગનું શેડ્યૂલ જાણો-


1 નવેમ્બર 2024 ના રોજ દિવાળીના અવસરે મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે. મુહૂર્તના ટ્રેડિંગના સમય વિશે શેરબજાર પછીથી માહિતી આપશે. દર વર્ષે દિવાળીના શુભ અવસર પર શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થાય છે, જેમાં સાંજે એક કલાક માટે શેરબજાર ખુલે છે. રોકાણકારો આ સમયગાળા દરમિયાન બજારમાં નાણાંનું રોકાણ કરવું ખૂબ જ શુભ માને છે.


ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટના વધવા લાગ્યા છે કેસ, ઈમ્યુનિટી વધારવા અપનાવો આ ટિપ્સ


અમદાવાદમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ, 5 તો આવ્યા છે વિદેશ પ્રવાસેથી