EPFOએ 2017-18માં PF પર 8.55 ટકા વ્યાજ આપ્યું છે. આ વ્યાજદર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછું છે. આ પહેલાં વર્ષ 2016-17માં વ્યાજ દર 8.65 ટકા અને વર્ષ 2018-16માં 8.8 ટકા મળતુ હતું.
સરકાર PF પેન્શન ધારકો માટે રાહતની જાહેરાત કરી શકે છે. આજે PF બોર્ડની બેઠક છે જેમાં લઘુતમ પેંશન વધારી 3 હજાર કરવામાં આવી શકે છે. આ નિર્ણથી 50 લાખ પેંશનધારકોને ફાયદો થશે. PF બોર્ડમાં પેન્શનધારકોને મેડિકલ કવર આપવાનો વિચાર પણ થઇ શકે છે. આ ઉપરાંત પેન્શન ફંડનાં રોકાણનાં વ્યાજદર અંગે પણ ચર્ચા થઇ શકે છે.