નવી દિલ્હીઃ કોરોના ફેલાતો અટકે તે માટે લાદવામાં આવેલા લોકડાઉન (Lockdown) બાદ વેપાર ધંધાની ગાડી ફરીથી પાટા પર ચડી રહી છે. આ દરમિયાન મોદી સરકારે (Modi Govt) લીધેલા વધુ એક નિર્ણયથી વેપારીઓ પર મોટી આફત આવી પડી છે.


વેપારીઓની કેમ વધશે મુશ્કેલી


ત્રિમાસિક રિટર્ન અને મંથલી રિટર્ન સ્કીમમાં  આવતા કરદાતાઓને આ મહિને જીએસટીઆર-1 (GSTR-1) અને જીએસટીઆર-3બી (GSTR-3B) પણ ભરવું પડશે. સીબીઆઇસીએ આ અંગે પરિપત્ર કર્યો છે. ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું આઇએફએફ રિટર્ન ભર્યું હોય તો તે સિવાયના બાકી વ્યવહારો જ જીએસટીઆર (GSTR) રિટર્નમાં દર્શાવવાના રહેશે.


જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સીએમપી-05માં કોઇ ટેકસ ભર્યો હોય તો તે સિવાયનો બાકીનો ટેકસ જીએસટીઆરમાં ભરવાનો રહેશે. આમ દરેક કરદાતાએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના રિટર્નની સરખામણી કરી ત્રણ મહિના દરમિયાન કરેલા બીટુસી ટ્રાન્ઝેક્શન અને માર્ચ માસના વેચાણના વ્યવહારો આ રિટર્નમાં દેખાડવાના રહેશે. વધારામાં ત્રિમાસિક રિટર્ન ભરનારે આ વખતે 11 એપ્રિલ પહેલા જીએસટીઆર-1 રિટર્ન અને 20 એપ્રિલ પહેલા જીએસટીઆર-3બી રિટર્ન ભરવાનું રહેશે.


અત્યાર સુધી શું હતું


અત્યાર સુધી ત્રિમાસિક રિટર્ન ભરનાર 13 સુધીમાં વેચાણની વિગત અને 25 સુધીમાં ટેકસ ભરવાની છૂટ આપી હતી. તેની જગ્યાએ સામાન્ય કરદાતાની જેમ રિટર્ન ફાઇલ કરવાની જબાદારી આવી પડી છે. વધારામાં કરદાતાઓ એપ્રિલથી જૂન માસના ત્રિમાસિક રિટર્નનું ઓપ્શન આપવાનું 30 એપ્રિલ 2021 પહેલા કહેવાનું રહેશે. સરકારે એક તરફ ત્રિમાસિક કરદાતાને વર્ષમાં 4 રિટર્ન ફાઇલ કરવાના રહેશે તેવી જાહેરાત કરવાની હતી. કરદાતાએ માસિક સીએમટી-05 અને આઇએફએફ અને વધારામાં જીએસટીઆર-1 અને જીએસટીઆર3બી ફાઇલ કરવાના રહેશે.


Rajkot Coronavirus:  સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં હોળી બાદ કોરોનાનું તાંડવ, 5 દિવસમાં 66 દર્દીને કોરોના ભરખી ગયો


રાજ્યમાં કોરોનાનું ડેથ સ્પોટ બનેલાં આ શહેરમાં પ્રથમ વખત 700થી વધુ કેસ નોંધાતા હાહાકાર, જાણો વિગત


Ahmedabad Coronavirus: રાજ્ય બહારથી આવતા અમદાવાદીઓ આ ટેસ્ટ વગર જ શહેરમાં કરી શકશે પ્રવેશ, પણ જોઈશે આ ડોક્યુમેંટ