નવી દિલ્હીઃ બેંકો સામાન્ય રીકે નોકરીયાત લોકોને લોન આપવાનું પસંદ કરે છે, જ્યારો નોકરી ન કરતાં હોય તેવા લોકોને હોમ લોન સરળતાથી મળતી નથી. પરંતુ હવે હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રની HDFC લિમિટેડે ગ્રાહકોને મોટી ભેટ આપી છે. આ માટે કંપનીએ ઈન્ડિયા મોર્ગેજ ગેરંટી કોર્પોરેશન (IMGC) સાથે કરાર કર્યો છે.


ઉપરાંત ગ્રાહકોને હવે નિવૃત્તિ બાદ પણ લોન મળી શકશે. એચડીએફસીના મેનેજિંગ ડાયરેક્ટર રેનૂ સુદે કહ્યું કે, આ સમજૂતી ત્રણ અલગ-અલગ સ્તરના ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે. નોકરી કરતા ગ્રાહકોની સાથે કારોબાર કરતાં લોકોને પણ લાભ મળશે. જે લોકો નોકરી નથી કરતાં તેવા ગ્રાહકોને પણ લાભ મળશે. ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમામ લોકોને 2022 સુધી ઘર ઉપલબ્ધ કરાવવાની દિશામાં સહાયક સાબિત થશે.

IMGCના CEO મહેશ મિશ્રાએ કહ્યું કે, એચડીએફસી લિમિટેડ હાઉસિંગ ફાયનાન્સના ક્ષેત્રમાં અગ્રણી છે. મોર્ગેજ ગેરંટી તમામ સ્તર પર અસરકારક સાબિત થઈ રહી છે.

8 વર્ષ બાદ બોલીવુડમાં કમબેક કરશે આ હોટ એક્ટ્રેસ, હેમા માલિનીની છે ભત્રીજી

ગુજરાતના આ ક્રિકેટરને લાગી શકે લોટરી, વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં થઈ શકે સમાવેશ જાણો શું છે કારણ ?

Cannes 2019: હિના ખાનનું શાનદાર ડેબ્યૂ, ટ્રાન્સ્પેરન્ટ ગાઉનમાં બતાવ્યો જલવો, જુઓ તસવીરો

દાળના ભાવો આસામાને, એકાએક 15 થી 20 રૂપિયા વધી જતાં મધ્યમ વર્ગના ઘરનું બજેટ ખોરવાયુ, જુઓ વીડિયો