RBI Decision: મકાનના સમારકામ માટે મળી શકે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો RBI નો નવો ફેંસલો

RBIના આ નિર્ણયથી એવા લોકોને રાહત મળશે જેઓ ઘરના રિનોવેશન માટે અન્ય જગ્યાએથી પૈસાની વ્યવસ્થા કરે છે.

Continues below advertisement

Loan for House Renovation: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગઈ કાલે જણાવ્યું હતું કે પ્રાથમિક સહકારી બેંકો મહાનગરોમાં લોકોને તેમના મકાનોના સમારકામ અથવા તેમાં ફેરફાર માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે. આરબીઆઈ દ્વારા આ નિર્ણય માત્ર પ્રાથમિક સહકારી બેંકો માટે જ લેવામાં આવ્યો છે. RBIના આ નિર્ણયથી એવા લોકોને રાહત મળશે જેઓ ઘરના રિનોવેશન માટે અન્ય જગ્યાએથી પૈસાની વ્યવસ્થા કરે છે.

Continues below advertisement

અગાઉ 2 લાખ અને 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી

અગાઉ, હાઉસ રિપેર અથવા ફેરફાર માટે આવી બેંકો માટે લોન મર્યાદા સપ્ટેમ્બર 2013 માં સુધારી દેવામાં આવી હતી. આ અંતર્ગત તેઓ ગ્રામીણ અને નાના શહેરોમાં 2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 5 લાખ રૂપિયા સુધીની લોન આપી શકતા હતા.

જાણો RBIનો સંપૂર્ણ નિર્ણય

આરબીઆઈએ પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો માટે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, "આવી લોન માટેની મર્યાદા હવે વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. દસ લાખ રૂપિયાની મર્યાદા એવા શહેરો અને કેન્દ્રોમાં છે જ્યાં વસ્તી 10 લાખ કે તેથી વધુ છે. અન્ય કેન્દ્રો માટે આ મર્યાદા 6 લાખ રૂપિયા હશે.

કોને ફાયદો થશે

આરબીઆઈના આ નિર્ણયથી એવા લોકોને ફાયદો થશે જેઓ ઘરનું સમારકામ કરાવવા માંગે છે પરંતુ તેમની પાસે આ માટે પૂરતું ભંડોળ નથી. આરબીઆઈએ આવા લોકો માટે આ નિર્ણય લીધો છે જેથી તેઓ બેંકો દ્વારા ઘરના સમારકામ અથવા કોઈપણ ફેરફાર કરવા માટે બેંકો પાસેથી ભંડોળ મેળવી શકે. RBI ગ્રાહકોના હિત માટે સમયાંતરે આવા નિર્ણયો લે છે જેથી તેમને વધતી જતી મોંઘવારીના સમયમાં પણ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આરબીઆઈના આ નિર્ણયથી ઘરનું સમારકામ કરાવવા ઈચ્છતા લોકોને મોટો લાભ થશે.

Continues below advertisement
Sponsored Links by Taboola