RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિની જાહેરાત કરી. તેમણે કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી, તે પહેલાની જેમ 4 ટકાના દરે યથાવત છે. એ જ રીતે, રિવર્સ રેપો રેટ પણ 3.35 ના દરે રહેશે. વૈશ્વિક કોમોડિટીની વધતી કિંમતો અને સ્થાનિક ફુગાવાને નિયંત્રિત કરવાની જરૂરિયાત વચ્ચે, સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ બુધવારે આગામી દ્વિ-માસિક નાણાકીય નીતિ પર ત્રણ દિવસની ચર્ચા શરૂ કરી.


શક્તિકાંત દાસે એ પણ જાહેરાત કરી છે કે RBI એ નાણાકીય વર્ષ 2021-22 માટે GDP વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.


આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય નીતિનું વલણ ઉદાર રહેશે. કારણ કે પુનરુત્થાન અને વૃદ્ધિને ટકાવી રાખવા અને કોવિડ -19 રોગચાળાની અસર ઘટાડવા માટે તે જરૂરી છે. આ સાથે, એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ફુગાવો લક્ષ્યને અનુરૂપ રહે.






આ બેઠક 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી પોલિસી (RBI મોનેટરી પોલિસી) ની બેઠક 6 ઓક્ટોબરથી શરૂ થઇ હતી, જેના પરિણામો આજે એટલે કે 8 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બેંકે છેલ્લે મે 2020 માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. મે મહિનામાં આરબીઆઈએ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ રેપો રેટ ઘટાડીને ચાર ટકા કરવામાં આવ્યો હતો.


વર્ષ 2020 માં કોરોના મહામારીને કારણે દેશનું અર્થતંત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અને સામાન્ય લોકોનો બોજ ઘટાડવા માટે સરકારે રેપો રેટમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. મે 2020થી સતત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી.


રેપો રેટ શું છે?


રેપો રેટ એ દર છે કે જેના પર દેશની કેન્દ્રીય બેન્ક (ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ભંડોળની કોઈ અછત હોય તો વ્યાપારી બેંકોને લોન આપે છે. મોનિટરી ઓથોરિટી દ્વારા મોંઘવારીને નિયંત્રિત કરવા માટે રેપો રેટનો ઉપયોગ કરવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડો બેંકોની લોન સસ્તી બનાવે છે. જેમ કે હોમ લોન, વાહન લોન વગેરે.


રિવર્સ રેપો રેટ શું છે?


રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર દેશની કેન્દ્રીય બેંક (ભારતીય રિઝર્વ બેંક) દેશની અંદર આવેલી વ્યાપારી બેંકો પાસેથી લોન લે છે. તેનો ઉપયોગ દેશમાં નાણાં પુરવઠાને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે.