આર્થિક મંદીથી દેશ 15 વર્ષ પાછળ ધકેલાઇ ગયો છે. તેમણે કહ્યું, આપણે નવું મોડલ અપનાવવું પડશે. જે આપણી મજબૂતી અને લોકતંત્રમાં ભરોસો કરે. તેમણે કહ્યું આપણે લોકતંત્ર મજબૂત કરવું પડશે. કઈંક એવું કરવું પડશે જેના પર ગાંધી વિશ્વાસ કરશે.
રાજને એમ પણ કહ્યું કે, જે સમસ્યા છે તેમાંથી એક એવી છે કે આલોચના દબાવવાનો મતલબ છે કે તમે તમારી પ્રતિક્રિયા નથી સાંભળતા અને જો તમે તેમ નથી કરતાં તો યોગ્ય સમયે પગલું ભરી શકતા નથી.
રાજને થોડા દિવસ પહેલા બ્રાઉન યુનિવર્સિટીમાં વધતી રાજકોષીય ખાધ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અર્થતંત્રમાં સુસ્તી માટે જીએસટી, નોટબંધી, જેવા પગલાને જવાબદાર ગણાવ્યા હતા.
ગુજરાત પેટા ચૂંટણીઃ ભાજપના અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા પાછળ
મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર ? ભાજપ બહુમત તરફ
હરિયાણામાં ભાજપ-કોંગ્રેસમાં કાંટાની ટકકર