નવી દિલ્હીઃ SBIમાંથી હોમ લોન લેનારા લોકો માટે ખુશખબરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હોમ લોનના વ્યાજ દરમાં 0.20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક સપ્ટેમ્બરથી હોમ લોન પર વ્યાજ દર 8.05 ટકા થઈ જશે. આરબીઆઈએ ઓગસ્ટમાં રેપોરેટ ઘટાડીને 5.40 ટકા કર્યો હતો. રેપો રેટના આધારે આરબીઆઈ બીજી બેંકોને ઋણ આપે છે.


એસબીઆઈના રિટેલ-ડિજિટલ બેંકિંગ એમડી પીકે ગુપ્તાએ કહ્યું, ઓટો લોનની માંગ ઘટી છે પરંતુ સરકાર અર્થતંત્રને મજબૂત કરવા અને માંગ વધારવા માટે પગલા ભરી રહી છે. ઓટો સેક્ટરમાં બે મુશ્કેલી છે એક ઓટો લોનની માંગ ઓછી છે અને બીજી તરફ ડીલર્સ પાસે ગાડીઓને સ્ટોક ઈન્વેન્ટ્રી વધારે છે.અમે ડીલર્સની મદદ કરી રહ્યા છીએ તેમને ઋણ પરત કરવા વધારે સમય આપી રહ્યા છીએ. જે ડીલર્સને મદદ જોઈએ તેમની સાથે સતત વાત કરી રહ્યા છીએ.

ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું આમ, એક બેટ્સમેનના બદલે બીજા બેટ્સમેને કરી બેટિંગ, જાણો વિગતે

લતા મંગેશકરને મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટ્વિટ કરીને કહી આ વાત, જાણો વિગત

ત્રણ તલાક પર બોલ્યા અમિત શાહ, સમાજ સુધારકોમાં લખાશે PM મોદીનું નામ