3kW vs 5kW Solar System: ઉનાળો આવતા જ એસી અને પંખાના વપરાશના કારણે વીજળીનું બિલ આસમાને પહોંચી જાય છે. આવામાં વીજળીના બિલમાંથી કાયમી છુટકારો મેળવવા માટે મોટાભાગના લોકો હવે ઘરમાં સોલાર સિસ્ટમ લગાવવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ, જ્યારે સોલાર પેનલ લગાવવાની વાત આવે છે, ત્યારે લોકો સૌથી વધુ એ બાબતે મૂંઝવણમાં મુકાય છે કે તેમના ઘર માટે 3kW ની સિસ્ટમ સારી રહેશે કે 5kW ની? જો તમે પણ આ જ મૂંઝવણમાં છો, તો આજે અમે તમને જણાવીશું કે તમારા ઘરના વીજ વપરાશ, જગ્યા અને બજેટ પ્રમાણે કઈ સોલાર સિસ્ટમ તમારા માટે બેસ્ટ રહેશે, જેથી તમારા પૈસા પણ બચે અને ભવિષ્યમાં વીજળીની કોઈ કમી ન રહે.

તમારો વીજળીનો વપરાશ કેટલો છે?

સોલાર પેનલની સાઈઝ પસંદ કરતી વખતે સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે તમારા ઘરમાં દરરોજ કેટલા યુનિટ વીજળી વપરાય છે. આ જાણવા માટે તમે તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો. સામાન્ય રીતે, એક 2BHK ઘરમાં રોજના 6 થી 10 યુનિટ વીજળી વપરાતી હોય છે. જ્યારે મોટા ઘરમાં ઉપકરણો વધારે હોવાથી આ વપરાશ 15 થી 25 યુનિટ સુધી જઈ શકે છે. જો આપણે ઉત્પાદનની વાત કરીએ તો, 3kW ની સોલાર સિસ્ટમ રોજના 15 થી 18 યુનિટ વીજળી પેદા કરે છે, જ્યારે 5kW ની સિસ્ટમ રોજના 25 થી 30 યુનિટ વીજળી આપે છે. તમારા રોજના વપરાશને આ આંકડા સાથે સરખાવીને તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો.

Continues below advertisement
Continues below advertisement

પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે?

આજકાલ બજારમાં 550W ની સોલાર પેનલ વધુ ચાલે છે. જો તમે 5kW ની સિસ્ટમ લગાવો છો, તો તમારે 9 થી 10 પેનલની જરૂર પડશે. પેનલ હંમેશા છત પર દક્ષિણ દિશા તરફ થોડી ઢળતી રાખવામાં આવે છે, જેથી તેના પર વધુમાં વધુ સૂર્યપ્રકાશ પડે. સામાન્ય રીતે 1kW ની સિસ્ટમ લગાવવા માટે લગભગ 100 ચોરસ ફૂટ જેટલી જગ્યાની જરૂર પડે છે. તે હિસાબે તમે 3kW અને 5kW માટે જરૂરી જગ્યાની ગણતરી જાતે જ કરી શકો છો. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પેનલ હંમેશા એવી જગ્યાએ જ લગાવો જ્યાં આજુબાજુ કોઈ બિલ્ડીંગ કે ઝાડનો છાંયો ન આવતો હોય.

આ પણ વાંચોઃ 1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે

વીજળી બિલમાં કેટલા રૂપિયાની બચત થશે?

સોલાર પેનલ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે. જેટલો વધુ તડકો, તેટલી વધુ વીજળી!

જો તમારા ઘરમાં 1 એસી, ફ્રિજ, ટીવી અને પંખા જેવી વસ્તુઓ ચાલે છે, તો 3kW ની સિસ્ટમ તમારા માટે એકદમ પૂરતી છે. આનાથી તમે દર મહિને 3,000 થી 5,000 રૂપિયાનું બિલ બચાવી શકો છો.

પરંતુ, જો તમારા ઘરમાં 2 એસી અને અન્ય વધારે હેવી ઉપકરણો છે, તો તમારે 5kW ની સિસ્ટમ લગાવવી જોઈએ. 5kW ની સિસ્ટમથી તમે દર મહિને 5,000 થી 10,000 રૂપિયા સુધીની માતબર બચત કરી શકો છો.

આમ, તમે જે પૈસા સોલાર સિસ્ટમ લગાવવામાં ખર્ચ્યા છે, તે વીજળી બિલની બચત રૂપે માત્ર થોડા જ વર્ષોમાં પાછા વસૂલ થઈ જાય છે અને પછી આખી જિંદગી મફત વીજળીનો આનંદ માણી શકાય છે.

આ પણ વાંચોઃ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ કોને મળશે અને કોને નહીં? અરજી કરતા પહેલા ફટાફટ ચેક કરો નિયમો