Train Food GST: દિલ્હીના અપીલેટ અથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સે (Appellate Authority for Advance Ruling) સ્પષ્ટ કરી દીધું છે કે, મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓ પર કેટલા ટકા જીએસટી આપવાનો રહેશે. આ મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે ખતમ થશે કારણકે, AAARએ જણાવ્યું છે કે, ટ્રેન કે રેલવે પ્લેટફોર્મ પર મળતી ખાવા-પીવાની સામગ્રી પર હવે 5 ટકાના દરથી GST લગાવામાં આવશે. જો કે, ટ્રેનમાં સમાચાર પત્રોના સપ્લાય પર જીએસટી નહી લગાવામાં આવે.


GST પર ચાલી રહેલ વિવાદ પૂર્ણઃ
અપીલેટ અથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સે જણાવ્યું કે, રેલવે તરફથી લાયસન્સ મળેલા કેટરર દ્વારા ફૂડ સર્વ કરવામાં આવે કે પછી લાયસન્સ વગર કેટરર ભોજન આપવામાં આવે, બધા પર 5 ટકાના દરથી જીએસટી લાગુ થશે. જીએસટીના દર મુદ્દે ચાલી રહેલવા વિવાદને પુર્ણ કરવા માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.


સામાન્ય મેસ-રેસ્ટોરન્ટના દરો લાગુ ન થઈ શકે - AAAR
જણાવી દઈએ કે, AAAR વતી મલ્લિકા આર્ય અને અંકુર ગર્ગની બે સભ્યોની બેન્ચે આ ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે ટ્રેન પરિવહનનું માધ્યમ છે, તેથી તેને રેસ્ટોરન્ટ, મેસ કે કેન્ટીન ન કહી શકાય. તેથી, GSTના એ દર આ ભોજન પર ના પર લાગુ કરી શકાય. AARએ ચુકાદો આપ્યો હતો કે મેનૂ પર અને IRCTC વતી IRCTC અને મુસાફરોને રાજધાની અને દુરંતો એક્સપ્રેસ ટ્રેનોમાં ટેરિફ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેવા મેનૂ પર ખાદ્યપદાર્થો (રાંધેલા/એમઆરપી/પેક્ડ)ના સપ્લાયના કિસ્સામાં આ લાગુ પડશે. 


ઉલ્લેખનીય છે કે, અગાઉ AAARએ આ મામલામાં કહ્યું હતું કે, અલગ-અલગ વસ્તુઓ પર તેમના લાગુ દરો અનુસાર GST વસૂલવામાં આવશે. આ સિવાય ટ્રેન અથવા પ્લેટફોર્મ પરની સર્વિસના આધારે અલગ-અલગ GST દર લાગુ થઈ શકે છે જેના કારણે રેલવેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.