નવી દિલ્હી: ભારે જનાદેશની સાથે ફરી સત્તામાં આવેલી મોદી સરકારે બજેટમાં ગામ, ગરીબ ને ખેડૂતોને સરકારી નીતિઓના કેન્દ્રમાં રાખ્યાં છે પરંતુ, સામાન્ય માનવીને થોડી વધુ મોંઘવારીનો ડોઝ આપી દીધો છે. એક વર્ષમાં વિદેશ યાત્રામાં બે લાખથી વધુ ખર્ચ કરનારા માટે આવકવેરા રિટર્ન ફરજિયાત દાખલ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે.




જોકે નોકરિયાત વર્ગને નિર્મલા સીતારમણથી નિરાશા જ સાંપડી છે. મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે જેની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા સુધી છે તેને કોઈ ટેક્સ આપવો નહીં પડે. તેનાથી વધારેની આવક હશે તો ટેક્સ આપવો પડશે. પરંતુ જો તમારી વાર્ષિક આવક 14.05 લાખ રૂપિયા સુધી હોવા છતાં પણ તમે ટેક્સ ભરવામાંથી બચી શકો છો. આગળ વાંચો કેવી રીતે તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો......