નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે. આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 7 મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે આરબીઆઈના કોઈ ઉચ્ચ અધિકારીએ કાર્યકાળ પૂરો થતા પહેલા જ પોતાનું પદ છોડ્યું હોય. આ પહેલા આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં વ્યક્તિગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


Governor Urjit Patel and RBI Deputy Governor Viral Acharya during a press conference announcing the RBI monetary policy in Mumbai on Wednesday. Express Photo by Ganesh Shirsekar. 06.12.2017. Mumbai.

વિરલ આચાર્ય 23 જાન્યુઆરી 2017ના રોજ ડેપ્યુટી ગવર્નરના પદે નિયુક્ત થયા હતા. તેમનો આ કાર્યકાળ ત્રણ વર્ષનો હતો, પરંતુ કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલા જ તેમણે રાજીનામું સોંપી દીધું.

ફેબ્રુઆરી 2020માં તેમને સીવી સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ તરીકે ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ (એનવાઈયૂ સ્ટર્ન) પરત જવાનું હતું, પરંતુ આચાર્ય આ વર્ષે ઓગસ્ટમાં જઈ રહ્યા છે.