તાજેતરમાં નાણાંમંત્રીએ આપેલું સ્ટિમ્યુલસ પેકેજ ટૂંકા ગાળામાં કામ નહિ આપી શકે જે લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર માટે મુશ્કેલી વાળુ બનશે. નાણાં મંત્રી દ્વારા આપવામાં આવેલા સ્ટિમ્યુલસ પેકેજને માનનીય વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અંગેના પ્રવચન સાથે સાંકળીને આપણે આ પેકેજને સમજવાની કોશિશ કરીએ તો એક વાત ચોક્કસ છે કે 'આત્મનિર્ભર ભારત' અને "વોકલ ફોર લોકલ"ને દેશના લોકોનું સમર્થન મળશે તો અર્થતંત્રમાં જરૂર ગતિ આવશે, કારણકે અર્થતંત્રને સ્ટિમ્યુલેટ કરવા ડિમાન્ડ અને ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે અને તે માટે બિઝનેસ રિવાઇવ કરવાની જરૂર છે જે સ્થાનિક ઉત્પાદનોની માંગ અને ખપતમાં વધારો થતા થઈ શકે છે.
સ્ટિમ્યુલસ પેકેજને વધારે અસરકારક બનાવવા માટે "ઈઝ ઓફ બિઝનેસ" જરૂરી છે જે માટે પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ સૂત્ર "મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નનન્સ" ઉપર કામ કરવુ પડશે. દેશની હાલની આર્થિક પરિસ્થિતિ જોતા "જય જવાન, જય કિસાન, જય વ્યાપારી" ના નારાને અમલમાં મુકવાનો સમય આવી ગયો છે, તેમજ અર્થતંત્રને પાટે ચડાવવા હજુ પણ વધુ સારા વ્યવહારિક અને મજબૂત પગલાં ભરવાની જરૂર છે.