Yes Bank કેસઃ ED સમક્ષ હાજર થયા અનિલ અંબાણી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Mar 2020 02:12 PM (IST)
તપાસ એજન્સીએ પીએમએલએ અંતર્ગત અંબાણીનું નિવેદન નોંધ્યું છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી આજે મુંબઈમાં યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્ય સામે ચાલતા મની લોન્ડ્રિંગ કેસની તપાસ બાબતે ઈડી સમક્ષ રજૂ થયા હતા. તપાસ એજન્સીએ પીએમએલએ અંતર્ગત અંબાણીનું નિવેદન નોંધ્યું છે. આ પહેલા અંબાણીને સોમવારે પૂછપરછ માટે બોલાવાયા હતા પરંતુ તેમણે વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી છૂટ માંગી હતી. જે બાદ ઈડીએ 19 માર્ચે હાજર રહેવા નવું સમન્સ જાહેર કર્યુ હતું. રિલાયન્સ ગ્રુપે એક નિવેદનમાં કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ યસ બેંક લિમિટેડ પાસેથી લીધેલું તમામ ઋણ તેની સંપત્તિ વેચીને ચુકવવા પ્રતિબદ્ધ છે. યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂર, તેમના પત્ની કે પુત્રીઓ અથવા તેમના પરિવાર દ્વારા નિયંત્રિત કોઈપણ સંસ્થા સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સંપર્કમાં નથી. કોરોનાથી બચવા હિન્દી ફિલ્મોના આ સુપરસ્ટારે કર્યું સેલ્ફ કોરેન્ટાઈનેશન, 14 દિવસ કોઈને નહીં મળે, જાણો વિગતHyundaiની સેકન્ડ જનરેશન Cretaનો પ્રથમ માલિક બન્યો બોલિવૂડના આ સ્ટાર એક્ટર, જાણો કારની વિશેષતારાજ્યસભા ચૂંટણીઃ BJPના કયા ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા, જાણો વિગતે