ગાંધીનગર: ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વિધાનસભા વિસ્તારમાં બૂથથી લઈને વિસ્તાર સુધીમાં દિવાળીના તહેવારમાં સ્નહે મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.  આ બેઠકમાં કારોબારીમાં નિયત કરવામાં આવેલા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામા આવી હતી. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠન દ્વારા યોજાનારા કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરાઈ હતી.