અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામાન્ય તાવ આવતા તેઓએ રિપોર્ટ કરાવ્યો હતો. છેલ્લા 2 દિવસથી સામાન્ય તાવ આવતો હોવાની ફરીયાદ હતી.


શંકરસિંહ વાઘેલાએ 4 દિવસ અગાઉ સમર્થકો સાથે બેઠક કરી હતી. જ્યારે 23 તારીખે પત્રકાર પરિષદ પણ કરી હતી. શંકરસિંહ વાઘેલા હાલમાં હોમ ક્વોરન્ટાઈન થયા છે. જરૂર લાગશે તો આવતી કાલે હોસ્પિટલમાં દાખલ થશે.

રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 30773 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1790 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 22417 દર્દીઓ સાજા થયા છે.