નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વધારાનો કરર્ફ્યૂ લાદવવાની હાલ કોઈ વિચારણા નથી પરંતુ અમદાવાદ, વડદોરા, સુરત અને રાજકોટમાં નાઈટ કરફર્યૂ યથાવત રહેશે.
ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કરર્ફ્યૂ છે જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવું જોઇએ.