ગાંધીનગર: અધિક મુખ્ય સચિવ જયંતી રવિના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. તા.૨૫ ઓગસ્ટ.૨૦૨૪થી રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે પડેલ ભારે વરસાદને કારણે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં થયેલ નુકશાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ૬ સભ્યોની ટીમ  તા. ૧૨સપ્ટેમ્બરથી તા. ૧૫સપ્ટેમ્બર ૨૦૨૪ ચાર દિવસીય ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરશે. 


સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે  અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને  રાજેન્દ્ર રત્નુ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ, નેશનલ ઇંસ્ટિટ્યૂટ ડિજાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષસ્થાને તથા રાહત કમિશનર  આલોકકુમાર પાંડેની ઉપસ્થિતિમાં અલગ અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી.  


અધિક મુખ્ય સચિવ, મહેસૂલ અને રાજેન્દ્ર રત્નુ દ્વારા રાજ્યમાં વરસાદના કારણે થયેલ નુકશાનીના સંદર્ભે કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠા, પશુપાલન, માર્ગ અને મકાન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, SSNNL વગેરે વિભાગોના નોડલ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરવામાં આવી  હતી. 


આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટ, આરોગ્ય, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને  મકાન, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, શિક્ષણ, કૃષિ, માહિતી વિભાગના અધિકારીઓ અને નોડલ અઘિકારીઓ હાજર રહેલ હતા.


રાજ્યમાં આ વર્ષે અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ અને પૂરથી વડોદરા શહેર પ્રભાવિત થયુ છે. વડોદરામાં બે અઠવાડિયા પહેલા આવેલા ભારે વરસાદે તબાહી મચાવી હતી, અને લોકોના ધંધા, દુકાનો, ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે હજારો કરોડનું નુકસાન પહોંચ્યુ હતુ. હવે આ લોકોની વ્હારે ગુજરાત સરકાર આવી છે, ગુજરાત સરકારે પૂરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. 


ગુજરાત સરકારે આજે વડોદરામાં આવેલા પૂરને લઇને મોટી જાહેરાત કરી છે, વડોદરામાં પૂરના પાણીથી અસરગ્રસ્તો વેપારીઓ માટે રોકડ સહાયની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત પ્રમાણે લારી-રેકડી ધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય મળશે. નાના કેબિન ધારકોને 20 હજાર સુધીની રોકડ સહાય મળશે. મોટા કેબિન ધારકોને 40 હજાર સુધીની રોકડ સહાય મળશે, નાની પાકી દૂકાનદારોને 85 હજાર સુધીની રોકડ સહાય મળશે, મોટી દૂકાન ધારકોને લૉનમાં વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 20 લાખ સુધીની લૉન લેનારને 3 વર્ષ સુધી 7 ટકાના દરે સહાય આપવામાં આવશે. દૂકાનદારોના કેસમાં ત્રિમાસિક GST રિટર્નને ધ્યાનમાં રાખી સહાય અપાશે. ઉલ્લેખનીય છે કે, સહાય માટે મહાનગર પાલિકા કમિશ્નર અને મામલતદારને અરજી કરવાની રહેશે. આ માટે આગામી 31 ઑક્ટોબર, 2024 સુધીમાં સહાય માટેની કરવાની કરવાની રહેશે. 


રાજ્ય સરકારે વડોદરામાં વેપારીઓ માટે સહાય જાહેરાત કરી છે, જેને લઇને હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતાએ સવાલો ઉઠાવ્યા છે કે, ઘર-વખરી માટે નુકસાનીની સહાય કેમ નહીં? રહેણાંક વિસ્તારમાં નુકસાની માટે સહાય નથી અપાઇ રહી. 


આ પણ વાંચો...


Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ